Mysamachar.in-જામનગર:
હાલારના બન્ને જીલ્લાઓમાં લોકડાઉનની અમલવારી વચ્ચે હત્યાઓનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટાવાગુદળ ગામે પુત્રની હરકતોથી કંટાળી જઈને પિતાએ જ સહનશક્તિની હદ આવતા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે વસવાટ કરતા અને ખેતીકામ કરતા ચંદુભા કલુભા જાડેજાને બે પુત્રો અને એક પુત્રી એમ ત્રણ સંતાનો છે,
ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો પુત્ર ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદુભા જાડેજા છેલ્લા કેટલાક સમયથી દારૂની લતે ચઢ્યો હોય અવારનવાર દારુ પી ને ઘરે આવ્યા બાદ ઘરના સભ્યો સાથે ગાળાગાળી અને મારકૂટ કરતો હોય અને તેમાં તેની માતા અને બહેનને પણ ગાળો ભાંડતો હોવાના બનાવો અવારનવાર બનતા હતા, એવામાં ગતરાત્રીના પણ ક્રિપાલસિંહએ તેને પિતા ચંદુભા જાડેજા સાથે કોઈ બાબતે વાડીએ ઝઘડો કરવા લાગતા પિતા ચંદુભા પણ પુત્રની અવારનવારની હરકતો થી કંટાળીને ગતરાત્રીના ભારે ગુસ્સે ભરાયા હતા, અને પોતાના જ પુત્ર ક્રિપાલસિંહને ગળેટૂંપો આપી અને ઢીકાપાટુનો માર મારી અને હત્યા નિપજાવ્યાની ઘટનાની જાણ ધ્રોલ પી.એસ.આઈ.કાંટેલિયા તેમજ સ્ટાફને થતા તેવો પણ ઘટનાસ્થળે પહોચી મૃતદેહનો કબજો સાંભળી અને પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.