Mysamachar.in-જામનગર
આમ તો ચોમાસાની ઋતુએ વિદાય લીધી છે, એવામાં ગતસાંજે જામનગર શહેર સહીત જીલ્લામાં વરસાદી માહોલ બન્યો, ક્યાક પવન ફૂંકાયો તો ક્યાંક વરસાદ અને વીજળી પણ પડ્યા… એવામાં જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં મોડીસાંજે વરસાદની સાથે આકાશી આફત ઉતરી હતી જેમાં વનાણા ગામે વિજળી પડતા સસરા અને પુત્રવધુના મૃત્યુ નિપજયા હતા.તો બીજીતરફ ભુપત આંબરડી અને નંદાણામાં વિજળીથી ત્રણ અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા હતા. જામજોધપુર તાલુકાના વનાણા ગામે રહેતા ઇસ્માઇલભાઇ કાસમભાઇ કાતિયાર (ઉ.વ.55) અને તેના પુત્રવધુ નઝમાબેન લાખીયારભાઇ કાતિયાર (ઉ.વ.28) પર વાડીએ આકાશી વિજળી પડતા બંનેના મૃત્યુ થયા નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે, બનાવની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્ર દોડી ગયુ હતુ. જયારે ભૂપત આંબરડી ગામની એક વાડીમાં પણ વિજળી ત્રાટકતા બે બળદે જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત નંદાણા ગામે અવકાશી આફત ઉતરતા વિજત્રાટકે એક ભેંસનો ભોગ લીઘો હતો.