Mysamachar.in-આણંદ
આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે જીટોડિયા રોડ વેરહાઉસની પાછળના ભાગે રહેતા 30 વર્ષીય પ્રજાપતિ યુવકે આજે વહેલી સવારે પોતાની બે નાની બે બાળકીને ઝેરી દવા પાઈ જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. મૃતક યુવકની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હતું અને બાળકોની જવાબદારી પિતા પર આવી પડી હતી. આજે સવારે આજુબાજુના લોકોએ ઘરમાં યુવકને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતાં આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી, જેથી ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે.
આણંદ શહેરમાં સામુહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પિતાએ પોતાની બે દીકરીની મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાત કરી લીધો હોય તેવું પોલીસનું પ્રાથમિક માનવું છે, બનાવમાં પિતા અને બે માસૂમ દીકરીનાં મોત થયા છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે. પોલીસને તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી હોવાની વાત બહાર આવી છે. સુસાઇડ નોટમાં વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
હવે એક પિતાએ જ શા માટે તેની બે માસૂમ દીકરીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધો તેનું કારણ અકબંધ છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોને ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે મેલડી માતાના ફળિયા ખાતે આ બનાવ બન્યો હતો. અહીં રહેતા ઘનશ્યામ પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતં. લાલુ પ્રજાપતિના ઘરમાંથી તેની છ વર્ષની દીકરી માનસી અને ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીનાં મૃતદેહ મળી આવ્યા છે.
આથી આશંકા સેવવામાં આવી રહી છે કે પિતાએ બે દીકરીની હત્યા કરીને પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હશે. ઘનશ્યામ પ્રજાપતિના ઘરમાં તપાસ કરતા પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લા ઘનશ્યામ પ્રજાપતિએ પોતાની ઈચ્છાથી આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે આ તમામ વિગતો પ્રાથમિક સામે આવી છે, પોલીસ હવે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સત્ય શું.? તે બહાર આવશે.