Mysamachar.in-મોરબી:
મોરબી જીલ્લાના વાંકાનેરના કણકોટ નજીક એક દુખદ ઘટના સામે આવી છે, જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદનો પરિવાર દિવાળીમાં ફરવા નીકળ્યો હતો દરમિયાન મોરબીના કણકોટ નજીક પહોચતા કાર કુવામાં ખાબકતા 4 લોકોના મોત થયા છે, ગત મોડી રાત્રીના બનેલ ઘટનામાં કારમાં સવારમાં સવાર અમદાવાદના પ્રજાપતિ પરિવારના 4 ના મૃત્યુ નિપજ્યા હતા ઘટનાની જાણ થતા મોરબી રાજકોટ ફાયરની ટિમ ઘટનાસ્થળે પોહચી હતી જ્યારે ઇકો કાર જીજે એચ ઝેડ 1453ના ચાલક અને કારમાં આગળ બેઠેલા રતીલાલ તેમજ તેનો દીકરો દિનેશ કારમાંથી બહાર નીકળી જતા જીવ બચ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.અકસ્માત કાર ચાલકને ઝોકું આવી જતા બન્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.