Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોના માથું ઊંચકવા લાગ્યો હોય તેમ જામનગર જીલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારી પરિવાર અને એક દલાલ પરિવારના સભ્યો મળી કુલ 7 જેટલા કેસો પોજીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, 7 જેટલા કેસો એકીસાથે પોજીટીવ આવી પડતા યાર્ડ સાવચેતીના ભાગરૂપે ત્રણ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કાલાવડ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.