Mysamachar.in-જામનગર:
આ વર્ષે વરસાદની ઋતુમાં જામનગર જીલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ થઇ હતી, અને તેમાંથી ખેડૂતો માંડ બેઠા થઇ રહ્યા હતા ત્યાં જ કમોસમી વરસાદના એક બાદ એક રાઉન્ડે ખેડૂતોને વિમાસણમાં મૂકી દીધા છે, વાત જામનગર જીલ્લાના જોડિયા તાલુકાની કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં ગત સપ્તાહે કમોસમી વરસાદ થયો હતો. તેના કારણે ખેડૂતોના જીરુ.ચણા સહિતના ખરીફ પાક ને ભારે નુકસાન થયું છે.. જોડીયાના લીંબુડા હડીયાણા, વાવડી, બાદનપર, જોડીયા, કુન્નડ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલ જીરાનો પાકમા ઉતાર આવવાથી ઘણા બધા ખેડૂતો જીરાનો ઉભો પાક બગડી ગયો છે, જીરાના પાકમાં ટ્રેક્ટર ફેરવીને અમુક ખેડૂતો તો નાસ કરવા માંડ્યા છે તેમજ ખેડૂત ઉપર જીરાના પાક વાવવાથી પાકની નુકશાનીથી રૂપિયાના ખર્ચમાં ડૂબી ગયા છે અને બીજા પાક વાવવા માટે રૂપિયા નથી તેમજ ચણાના પાકમાં પણ નિષ્ફળ જવાની ભીતિએ અન્ય ખેડૂતો સરકાર પાસે સર્વે કરીને નિષ્ફળ પાકની સહાય કરવા આજીજી કરી રહ્યા છે.