Mysamachar.in-જામનગર
સહકારી ક્ષેત્રમા આમેય રાજકીય પક્ષ આધારીત ચુંટણી ન હોવા છતા રાજકીય રંગ લાગે જ છે એ જોવા મળે છે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણી યોજાવાની હોવાથી 14 ડીરેકટરોની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી આરંભી દેવામાં આવી છે, ત્યારે કરોડો રૂપિયાનો વહિવટ ધરાવતી જિલ્લા બેંકનો કબ્જો કરવા માટે ભાજપ અને કોંગ્રેસના સહકારી આગેવાનો, નેતા વગેરેએ રાજકીય સોગઠા ગોઠવવા માટે મંડળીના હોદેદારો સાથે બેઠકો યોજી રહ્યા છે,જામનગર જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની કમીટીના ડાયરેકટર સભ્યોની આગામી ચૂંટણી વર્ષ 2020માં કરવાની હોય…
આ ચૂંટણી અંગે બેંકના સભ્યોની કામચલાઉ મતદાર યાદી તૈયાર કરવા માટે દરખાસ્ત સરકારના નિમાયેલ સક્ષમ ચૂંટણી અધિકારીને સમય મર્યાદામાં મોકલવાની હોવાથી આ કામચલાઉ મતદારયાદીમાં મંડળી અંગેની વિગતો તથા મંડળીના પ્રતિનિધિનું નામ વિગેરે જરૂરી માહિતીઓ સામેલ કરવા તૈયારી શરૂ કરી દેવાય છે. દરમિયાન જામનગર જિલ્લાની મંડળી આ આગામી ચૂંટણીમાં ભાગ લઇ શકે અને મતદાન વિગેરે… કામગીરીઓ કરવા અધિકૃત કરવા અને આ અધિકૃત કરવામાં આવેલ વ્યકિતનું નામ તેમજ મંડળીએ કરેલ ઠરાવીની નકલો જિલ્લા સહકારી બેંકમાં મોકલી આપવા જનરલ મેનેજરે મંડળીને સુચના આપીને કાર્યવાહી કરી રહ્યા છે.
આમ જામનગર જિલ્લા સહકારી બેંકમાં હાલ કોંગ્રેસના આગેવાન અશોક લાલ ચેરમેન હોય તેમને ઉથલાવવા માટે અનેક પ્રયાસો છતાં સફળતા મળી નથી ત્યારે આગામી ચૂંટણીમાં લાલ પરિવાર તો સામે નથવાણી બંધુ જે પણ વર્ષોથી સહકારી ક્ષેત્રના માહિર હોય વગેરેની બેંક કબ્જે કરવા ચાવીરૂપ ભૂમિકા રહેશે તેવું મનાઇ રહ્યુ છે. જો કે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડીને સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજવાની છુટછાટ આપી છે પરંતુ તેમાં માઇક્રો ક્ન્ટેઇમેન્ટ અને ક્નટેઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં આવતી મંડળી સિવાયના વિસ્તારમાં ચૂંટણી યોજવાની મંજુરી આપી છે. ત્યારે ખાસ કરીને જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરમાં વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે અને જામનગરમાં પણ કેસ વધી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવતી મંડળીઓને મુશ્કેલી પડી શકે તેમ છે,અને આ ચુંટણી ને કોરોનાનુ ગ્રહણ લાગી શકે છે જોઈએ આગળ ચુંટણીને લઈને શું નિણર્ય થાય છે.