Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન હોય કે જાડા હોય કે નગર નિયોજન હોય કે ડીપી ટિપીના વિભાગો હોય કે લે આઉટ બિનખેતી વગેરેની બાબત હોય તેમા જ્યારે મોકાની જગ્યા હોય કે મોટી જગ્યા હોય કે એક વધુ લોકોનુ હિત હોય ત્યારે કોને ખબર ગમે ત્યાથી આ બાબત બહાર આવી જ જાય તેવુ જ તાજેતરમા જાડામા જે વિષય છે તેમા થયુ છે અને અમુક જાણકારોમા આ વિષય જેને ઝોનફેર ની બાબત ગણાય છે તે ખુબ ચર્ચામા છે, વ્યુઅર્સ જાણે છે છતા જરા યાદ કરાવીએ કે વાત જાણે એમ છે કે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને ઝોન ફેર કરવાની દરખાસ્ત સરકારમા મોકલવાની જોગવાઇઓ છે ત્યારે જામનગર પાસેના દરેડની જગ્યાને એગ્રીમા થી ઇન્ડ ઝોન કરવાની બાબત હાલ ગોઠવણ હેઠળ છે આ જગ્યા ખુબ મોટી છે જેની કિંમત અબજોમા થાય છે,
-ફાયદાની સમીક્ષા….કાયદાને મુકો તડકેની (અ) નિતી
આ સમગ્ર બાબત ઉભી થઇ છે તેના ફાયદા નુકશાનમાં અભ્યાસ કરવા જઇએ તો રેસીડેન્સમાં કે એગ્રીમાં થી ઔધોગિક ઝોન થાય તો કીમતમાં મોટો ઉછાળો આવે જેને કારણે લગતને ફાયદો થાય તેમ છે દાખલા તરીકે રેસીડેન્સમાં હાલ 600 થી 700 રૂપીયા ભાવ ચાલતો હોવાનો અંદાજ છે અને ઝોન ફરે તો ઉદ્યોગ માટે અંદાજ 2500 થી વધુ ભાવ થાય તેમ છે તો છે…ને તન સાડા તન ગણો ફાયદો?કોણ જવા દે આ ફાયદો કહો જોઇએ?
-ફરીથી થયેલુ ડેવલપમેન્ટ
જાણકારો કહે છે કે ટૂંકાગાળામાં એવું તો શું થયું કે આ ઝોનમાં ફેરબદલ કરવી પડે છે તે વાત જાણકારો માટે પણ શંકા ઉપજાવનારી છે, વધુમાં અલગ અલગ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ ઝોન ફેરફાર ચોક્કસ ગોઠવણનો ભાગ જ છે ત્યારે દરેડના આમ તો જામનગર દરેડ બોર્ડર લાઇન જેવા આ વિસ્તારોના લોકોએ ઝોન ફેરની આ વિગતો મળતાં જ વિરોધ શરુ કરી દીધો છે અને ભવિષ્યમાં આ વિરોધ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં, એમ જાણકાર સૂત્રો વધુમાં જણાવી રહ્યા છે.
-સ્થાનીકોને નુકસાન થશે તેનો ઉડ્યો છેદ..
દરેડ નજીકના જે ગ્રામ્ય વિસ્તારોની ખેતીની જમીનને ઝોન ફેર કરીને ઔદ્યોગિક જમીન બનાવવા માટેનો એક તરફ કૌભાંડીઓ દ્વારા કારસો રચાઇ ચૂક્યો છે અને બીજી તરફ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આ માટે ઠરાવ સહિતની તૈયારીઓ ચાલી રહી છે જેની આજુબાજુમાં ઘણાં બધાં રહેણાંક મકાનો હાલમાં અસ્તિત્વ ધરાવે છે અને નજીકના ભવિષ્યમાં આ વિસ્તારોમાં રહેણાંકોની સંખ્યા પણ વધવા તરફ ગતિ કરી રહી છે. આ સ્થિતિને કારણે જો આસપાસના જુજ સર્વે નંબરોમાં પણ ખેતીની જમીનને ઔદ્યોગિક જમીનો જાહેર કરી દેવામાં આવે તો આ ચારેય સર્વે નંબરોમાં પણ પુષ્કળ ઉદ્યોગોની સ્થાપનાની દિશા ખુલી જાય અને તેને પરિણામે રહેણાંક વિસ્તારોની તદ્દન નજીક ઉદ્યોગો સ્થપાતા આ વિસ્તારમાં વાયુ, પ્રદુષણ, જળ પ્રદુષણ અને જમીન પ્રદૂષણ સહિતના પ્રશ્નો ઉભા થાય અને આ પ્રશ્નો ભવિષ્યમાં વધુ ઘેરા બની શકે, આ બધી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ રહેણાંક વિસ્તારોના લોકોએ ઝોન ફેરની વિરુદ્ધમા આંદોલનના માર્ગે વળે તો નવાઈ નહી…
-“બ” પરથી જેનું નામ શરુ થાય છે તેણે જોડી ખૂટતી કડીઓ અને બનાવ્યો પુલ…
ગઈકાલે my samachar દ્વારા જામનગરની આ ચર્ચાસ્પદ જમીનના ઝોન ફેર અંગે હજુ તો માત્ર એક અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ સુત્રો આ અંગેની વધુ વિગતો આપવા થનગન્યા છે, અને સુત્રો દ્વારા આપવામાં આવેલ માહિતીની ખરાઈ થયા બાદ આ અંગે જે ચોકડીએ “બ” નામ પરથી શરુ થતા નામના વ્યક્તિની મદદથી કઈ રીતે ગાંધીનગરથી દક્ષીણ ગુજરાત સુધીનું જે માળખું ગોઠવ્યું હોવાની માહિતી આપી છે.
-ફરીથી ફ્લેશબેકમા જોઇએ તો
જામનગર વિસ્તાર વિકાસ મંડળ “જાડા”ની ગત માસની જનરલ બોર્ડની બેઠકના એજન્ડામાં જે ઝોન હાલ રેસીડેન્સીયલ છે તેને ઇન્ડસ્ટ્રી ઝોનમાં પરિવર્તિત કરવા કોઇ રાજકીય દબાણ જામનગર સુધી પહોંચ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડેવલોપીંગ પ્લાન 2031 સુધીનો છે.ત્યાં આ રીતે શા માટે ફેરફાર કરવામાં આવી રહ્યા છે, અને કોનું હિત આ આ ઝોન ફેરમાં સચવાયેલું છે.? કારણ કે રાજકોટમાં ઝોન ફેરનો મામલો હાલ ગાજી રહ્યો છે ત્યાં જ જામનગરમાં કોના ઇશારે આ ઝોનમાં ફેર બદલી થવા જઇ રહી છે તેની ચર્ચાઓએ જોર પકડ્યા બાદ આ મુદ્દે પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો કેમકે બેઠકમાં રહેલા વચ્ચે સંકલન સધાયુ ન હતુ..??? તે પણ અલગ સમીક્ષાનો વિષય છે,
કેમકે છે…ક ઉપરથી દૂરથી આવ્યુ હતુ તો હા એ હા કેમ ન થઇ.? અને મહત્વનો એજન્ડા પેન્ડીંગ રખાયો હતો જે માટે અભ્યાસુઓને વિષય સમજાતો ન હતો…..લે બોલ….!!! એનો અર્થ કાંતો સંકલન ન થયુ કા તો કોઇ જુથવાદ કે કાંતો ભલે આપણા હોય પરંતુ બહારના આવો મોટો જંગ ખેલી જાય ને ઘરના ઘંટી ચાટે…! એવુ નહી થવા દેવુ હોય તેમ હશે? સાચુ તો તે લોકો જાણે પરંતુ અભ્યાસુઓએ વિષય ટુંક સમયમા સમજી પણ લીધો? કેમ એમ થયુ.? એજન્ડા તો વહેલો જાહેર થયો હતો ત્યારે કોઇએ ઝીણવટ થી જોયુ નહી કે તાલ માલ ને તાસીરો જ કરવો હતો અને “લાગણી” ઓ મોંઘી કરવાની હતી.? આ તમામ વચ્ચે આવતી બેઠકમાં જો બહારની કથિત ગોઠવણ યોગ્ય થઇ હશે તો બધું સમું સુથરું પાર ઉતરી જશે નહિતર શું તે સામે આવી જશે.