Mysamachar.in-જામનગર:
હાલના સમયમા અતિ આવશ્યક એવા વીજપુરવઠા ની બાબતે વીજવિભાગ સેવાઓ આપે છે, પરંતુ હેરાનગતિ થાય એવુ પણ ખુબ કરે છે,.. તેમાય નવા વિસ્તારોમા વીજજોડાણ આપવામા થતા રહેતા અખાડાઓમા વીજવિભાગ મોખરે રહે છે. તેમાય જુદી જુદી જાતની ફરિયાદો વીજવિભાગની ઢીલીનીતિના કારણે ઘણા વિસ્તારો કે ગામો વીજપુરવઠા વગરના રહે છે. તેવા અનેક દાખલા સામે છે તેમાથી એક જોઇએ તો થાંભલા નાંખ્યા પણ વીજવાયર ન નાંખ્યા કેમ કે ટેકનીકલ મંજુરી નથી.! જામનગર તાલુકાના દડીયામા વીજલાઇન માટે થાંભલા નાંખ્યા પરંતુ થાંભલા જ છે. વીજલાઇન નથી વીજવાયર નાંખ્યા જ નથી, આઠ થાંભલામા બાર ગાળા વીજવાયર નાંખવાના છે, પરંતુ ટેકનીકલ મંજુરી મળી નથી,
અનેક રીતે વીજવિભાગથી કનડગત થાય તેવા અનેક ઉદાહરણોમા થી વધુ એક જોઇએ તો વિચિત્ર તકલીફનો સામનો એકસાથે ત્રણ-ત્રણ નહી છ-છ ગામડામા વિજળી ઠપ્પ થઇ જાય છે, ધ્રાંગડા સબસ્ટેશનના સોયલ ૬૬ કેવી સબસ્ટેશન ૧૧ કે.વી. નેસડા ફીડર હેઠળ છ ગામ આવે છે, સોયલ નથુવડલા રોજીયા ધ્રાંગડા રવાની ખીજડીયા આવે છે, જેમા તકલીફ એ છે કે આ ફીડરમા કામ કરવાનુ થાય તો વીજપુરવઠો બંધ કરવાની જરુર પડે તો એક જ સ્વીચ છે માટે એક સાથે છ એ ગામમા વીજપુરવઠો બંધ થઇ જાય એથીય મોટી મુસીબત એ છે કે આ તકલીફમાં થી છુટકારો મળે તેમ નથી કેમકે અલગ અલગ સ્વીચની મંજુરી મળતી જ નથી..બોલો આજના આધુનિકયુગમાં આ પીડા કોને કહેવા જવી.