Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન ટેકનીકલ કર્મચારી યુનિયન એ હવે એલાન એ જંગ છેડ્યુ હોઇ તંત્ર માટે ભીંસ વધશે કેમકે ખાલી જગ્યાઓ ભરવી પ્રમોશન આપવા સહિતના મહત્વના મુદે કમિશનરને અલ્ટીમેટમ અપાયુ હતુ તેનુ કંઇ નિરાકરણ હજુ સુધી થયું નથી તેમજ આ ટેકનીકલ સ્ટાફ કોર્પોરેશનના હાથ પગ છે સાત લાખની વસતી માટે પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યો માટે તેઓ ખડેપગે રહીને કામ કરતા હોવા છતા તેમનો કોઇ અવાજ સાંભળે નહી ઉલટુ તણાવમા કામ કરવુ પડે સાદી ભાષામા કહીએ તો તુટી જવુ પડે છતાય પુરતી સુવિધા નહી જશ નહી વગેરે બાબતોથી ત્રાસેલા યુનિયને તબક્કાવાર લડત છેડવાનુ જાહેર કર્યુ છે., જે આગામી સમયમા રંગ લાવશે તેવુ જાણકારોનુ અનુમાન છે.
યુનિયનએ રજુ કરેલા અને કમિશનરને વિવિધ લેખિતમા પાઠવેલા સંવેદનશીલ મુદા જોઇએ તો કોરોનાની કામગીરી સંભાળતા વર્ગ-01 થી વર્ગ-04 ના કોઈપણ કાયમી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તેવા સંજોગોમાં રાજય સરકારની સહાય નિયમ મુજબ જે મળવાપાત્ર હોય તે સહાય માટે વહીવટ વિભાગ ધ્વારા તાત્કાલિક ફાઈલ કમિશ્નર પાસે મુકવા લગત ખાતાના કંટ્રોલીંગ અધિકારીને સરકારની પોલીસી મુજબ કયા પ્રકારના ડોક્યુમેન્ટ જરૂરીયત રહેશે તે વિગત પુરી પાડી સરકારના જી. આર.સાથે ફાઈલ પુટ અપ કરવા લગત બ્રાંચને સુચના આપવી તથા ખાસ કરીને ટેકનીકલ બ્રાંચનું સેટઅપ વર્ષ 2015 માં મંજુર થયેલ છે તેમાં કાર્યપાલક ઇજનેરની-4 જગ્યા ખાલી છે.
નાયબ ઈજનેરની 10 જગ્યા ખાલી છે જુનિયર એન્જીનીયરની 19 જગ્યા ખાલી છે અ.મ.ઈ. ની 64 જગ્યા ખાલી છે વર્ક આસિસ્ટન્ટની 53 ખાલી જગ્યા છે તેમછતાં માત્ર કોન્ટ્રકટ બેઈઝથી લાખો-કરોડો રૂપિયાના કામો કરaવવા વ્યાજબી નથી કેમકે સેટઅપમાં જગ્યા ખાલી હોય પુરતા યોગ્ય અનુભવના ધોરણે – લાયકાતના ધોરણે બઢતી આપવાની ટોપ ટુ બોટમ તમામ પોસ્ટ માટે તાત્કાલીક કાર્યવાહી કરવાની જરૂર છે,
જેમાં રોસ્ટરક્રમાંક યોગ્ય રીતે જળવાઈ અને રોસ્ટર એપ્રુવ્ડ થવાના બહાને માત્ર ટાઇમ પાસ કરવો વ્યાજબી નથી, યુનિયને વધુમા જણાવ્યા મુજબ વર્ષ 2018 સુધીનુ રોસ્ટરજીસ્ટર એપ્રુવ્ડ થયેલ છે, તેમજ સોલીડ વેસ્ટ શાખા આરોગ્ય શાખા અને ફાયર શાખામાં સેટઅપમાં ઘણી પોસ્ટની જગ્યાઓની ખાલી છે તેમાં પુરતો યોગ્ય અનુભવ – લાયકાતના ધોરણે પ્રમોશન આપવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવી જોઇએ માત્ર કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીની લાંબા સમય સુધી કામો ચલાવી શકાય નહિ અને કોઈપણ પોસ્ટ ઉપર “ઇન્ચાર્જ” થી ક્યાં સુધી વહીવટ ચલાવવાનો ?
તેની કોઈ સમય મર્યાદા નક્કી કરી તાત્કાલિક તેવી જગ્યાઓ ઉપર પુરતો અનુભવ ધરાવતાં અને લાયકાત ધરાવતા યોગ્ય વ્યક્તિની નિમણુકનો ઓર્ડર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી ઉમેરાયુ છે કે ફિલ્ડ ડયુટી બજાવતા સાઈટ એન્જીનીયરોને મોબાઈલ એલાઉન્સ – પેટ્રોલ એલાઉન્સ આપવાની કાર્યવાહી કરવી જોઇએ,
જેના માટે દરેક શાખા અધિકારી પાસેથી ફિલ્ડમાં ડયુટી બજાવતા કર્મચારીનું એલાઉન્સ મંજુર કરવા ધોરણસર સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મેઈન શાખા ધ્વારા મુકવામાં આવે તેવી પણ ભારપૂર્વક રજૂઆત કરાઇ છે, મ.ન.પા. માં ફરજ બજાવતાં અધિકારી – કર્મચારી ઉપર કોઈ કોન્ટ્રાક્ટર કે અરજદાર – અન્ય વ્યક્તિ ધ્વારા હુમલો કરવામાં આવે કે ગેરવર્તુણક આચરવામાં આવે ત્યારે મ.ન.પા.ની સીકયોરીટી શાખા ધ્વારા જ ફરિયાદ નોંધવામાં આવતી હોય નહિ કે ભોગ બનનાર વ્યક્તિએ જ્યાં જરૂર પડે ત્યાં ભોગ બનનાર વ્યક્તિ પોતાનું સ્ટેટમેન્ટ – પુરાવા રજુ કરે પરંતુ ફરિયાદ તો સીકયોરીટી ઓફિસર ધ્વારા જ નોંધાવવી જોઈએ આ માટેનો એક કડક સરક્યુલર કમિશનર કક્ષાએથી લગત શાખાને (સીકયોરીટી શાખા ) ને કરવા પણ રજુઆતમા સમાવેસ છે અન્ય તમામ કોર્પોરેશનમાં વીજલન્સ, સીકયોરીટી બ્રાંચ ધ્વારા જ આવી ફરિયાદ નોંધવામાં આવતી હોય છે.
-આંદોલન નો કાર્યક્રમ
જામનગર મહાનગરપાલિકા ટેકનીકલ એસોસીએશન ધ્વારા ગત તા.24/08/2020 ના રોજ સેટઅપ મુજબ ખાલી જગ્યાઓ યોગ્ય અનુભવ – લાયકાત ધરાવતા વ્યક્તિથી તાત્કાલિક ખાલી જગ્યાએ ભરવા રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં આજદિવસ સુધી અન્ય કોઈ કાર્યવાહી આ બાબતે ન થતા ટેકનીકલ યુનિયનના હોદેદારો તથા તમામ કર્મચારીઓ તા. 25/9/2020 થી તા. 24/10/2020 સુધી ડાબા હાથ ઉપર કાળી પટી બાંધીને કામગીરી કરશે ત્યારબાદ તા. 26/10/2020 થી તા. 05/11/2020 સુધી વર્ક ટુ રૂલ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો તા.05/11/2020 થી તા. 13/11/2020 સુધી પેનડાઉન સ્ટ્રાઈક કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે
-સ્ટેન્ડીંગના ઠરાવનો અમલ કરાવો
સ્ટે.કમિટી ઠરાવ નં. 1010 તા.04/09/2015 ના રોજ 57 કર્મચારીઓને રોજમદારમાં સમાવિષ્ટ કરવા ઠરાવ કરવામાં આવેલ છે તે ઠરાવને ઈરાદા પૂર્વક વહીવટી મંજુરી ન આપી રોકી રાખવામાં આવેલ છે આ 57 કર્મચારી પેકી હાલે માત્ર 30 જેટલા કર્મચારીઓ મ.ન.પા. માંછેલ્લા સાત વર્ષ કરતા વધારે નોકરી કરે છે. અન્ય 27 કર્મચારીઓ તો નોકરી છોડી અન્યત્ર જતા રહ્યા છે પરંતુ જે લોકો લાંબા સમયથી અહી કામગીરી કરે છે તેને કાયમી કરવા તથા લગત ઠરાવને વહીવટી મંજુરી આપી આગળની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી ઉઠી છે અને તાત્કાલિક પ્રાયોરીટી આપીને આ અંગે કામગીરી હાથ ધરવા મેઈન શાખાને જરૂરી સુચના આપવા યુનિયને કમિશ્નરને જણાવ્યુ છે
-કોરોના કામગીરી નહી અટકાવવા નિર્ણય
જામનગર મહાનગરપાલિકા ટેકનીકલ યુનિયનના અધિકારી કે કર્મચારી કોરોનાની કોઈપણ કામગીરીમાં રોકાયેલ હોઈ કે આવશ્યક સેવાની કામગીરીમાં રોકાયેલ હોય તેમજ ઈમરજન્સી સર્વિસીસની કામગીરીને વિક્ષેપ પહોંચાડવામાં નહિ આવે તે રાબેતા મુજાબ ચાલુ રહેશે. જેની બાહેંધરી જોકે આપી છે,
-આસી. કમી. ટેક્સ પર લાયકાત ધરાવનારને મુકો
જામનગર મહાનગરપાલિકા આસી. કમિશ્નર(ટેક્સ) તરીકેની યોગ્ય અને પુરતી લાયકાત અનુભવ ધરાવતા અને 1991ના ગેજેટમાં સરકાર ધ્વારા સ્ટેચ્યુટરી પોસ્ટની લાયકાત નક્કી થયેલ તે મુજબની તમામ લાયકાત ધરાવતા અધિકારી મુકેશભાઈ વરણવાનો જનરલ બોર્ડ ઠરાવ નં. 246 તા. 14/08/2010 થી ઠરાવ થયેલ છે. જે ઠરાવ અંગે જરૂરી કાયદાકીય અભિપ્રાય તા.14/04/2013 ના રોજ લેવાયેલ છે. તે પણ આ નિમણુંકને યોગ્ય ઠરાવતા હોવા છતાં આ ઠરાવને કોઈપણ કારણોસર વહીવટી મંજુરી આપવામાં આવેલ નથી જે ગેરવ્યાજબી છે,
આ ઠરાવની તાત્કાલિક અમલવારી કરવામાં આવે અને નિમણુંકનો ઓર્ડર આપવામાં આવે તેવી પણ રજુઆત છે, ઉપરાંત કોમ્યુટર શાખા, સોલીડ વેસ્ટ શાખા આરોગ્ય શાખા તથા ટેકનીકલ કર્મચારીઓના પગાર ફિકસેશન – ઉચ્ચતર –ઇન્ક્રીમેન્ટ વગેરેમાં બિનજરૂરી ડીલે કરવામાં આવે છે તે ન થાય તેવી સુચના લગત એસ્ટા શાખાને આપવાની પણ માંગણી કરાઇ છે.