Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા જીલ્લો તેના વિસ્તારની દ્રષ્ટિએ અને ખાસ કરીને દરિયાના કારણે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, એવામાં દરિયામાં માછીમારી પણ થાય છે, ત્યારે માછીમારી કરવા માટે દરેક બોટનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે, ત્યારે તાજેતરમાં જ એક બોટનું રજીસ્ટ્રેશન ના હોવા છતાં દરિયામાં માછીમારી કરી રહ્યા સબબનો ગુન્હો સલાયાના માછીમાર સામે નોંધાયા બાદ એસઓજીએ વધુ એક ગુન્હો નોંધી ખોટી માહિતીને આધારે છેલ્લા બે વર્ષથી માછીમારી કરતી બોટના માછીમાર સામે ગુન્હો દાખલ કર્યો છે,
અલ્લારખા ઉર્ફે લાખાભાઈ જુમાભાઈ ભેંસલીયા જાતે-મુસ્લિમ મીછીયારા રહે-રૂપેણ બંદર છપરા વિસ્તાર વાળાએ પુર્વયોજીત કાવતરૂ રચી પોતે આજથી આશરે પાંચ-છ વર્ષ પહેલા ખરીદેલ નાની બોટની બદલે નવી મોટી માછીમારી બોટ બનાવી અલ-નવાઝ અલી નામની બોટ ન હોવા છતાપણ અલ-નવાઝ અલી નામનું બોર્ડ લગાવી અને બોટ પર અલ-નવાઝ અલી નામ તથા રજી નંબર IND-GJ-10-MM-2036 લખી ફિશરીજ વિભાગમાં સદરહું બોટ (નામ તથા રજી. નંબર)ની ખરા તરીકે નોંધ કરાવી માછીમારી કરી તેમજ તા.19/07/2019 ના રોજથી બોટનું નામ બદલી ખ્વાઝા કા કરમ કરી રજી નંબર IND-GJ-10-MM-2036 બોટ પર લખી તે અંગે (બોટનું નામ તથા રજી. નંબર) ફીશરીઝ વિભાગમાં નોંધ કરાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પોતાના નામે કરવા સારૂ અરજી કરી ખોટી માહીતી આપી. ખોટા નામની બોટ દ્વારા આશરે બે વર્ષથી માછીમારી કરી રહ્યાનું ધ્યાને આવતા એસઓજીને આ મામલો ધ્યાને આવતા દ્વારકા પોલીસ મથકમાં ગુન્હાહિત કાવતરું, બોગસ દ્સતાવેજ, સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.