Mysamachar.in-જામનગર
PGVCL ના જામનગર સર્કલને તાજેતરના ભારે વરસાદે મોટી નુકસાની કરાવી છે, અને ઠેર-ઠેર વીજપોલ ટ્રાન્સફોર્મર લાઇનો પડી ગયા બગડી ગયા જેથી સંખ્યાબંધ ગામોમા વીજળી ગુલ થઇ ને અંધારપટ છવાયા હતા, જે સ્થિતિમાં સર્કલ હેડ સુપ્રી.રાડાની રાહબરીમા તાબડતોબ રીપેરીંગ કામો થયા અને ફરીથી વીજ સપ્લાય પુર્વવત કરાયો છે, બીજી તરફ એક અંદાજ મુજબ જામનગર અને દ્વારકા જિલ્લામા મળી વરસાદી તબાહીથી રૂપિયા બાર કરોડથી વધુ રકમનુ વીજ વિભાગને નુકસાન થયુ છે. જેમાં જામનગર જિલ્લામાં હાઇ ટેન્શન લાઇનના 1959 પોલના નુકસાન, લો વોલ્ટેજ લાઇનના 431 પોલને નુકસાન 156 ટ્રાન્સફોર્મરોના નુકસાન મળી કુલ 282 ગામોમાં 496 લાખનુ નુકસાન થયુ હતુ, તે ફરી રિપેરીંગ કરી વીજપુરવઠો ઠપ્પ થયો હતો તેને ફરી કાર્યરત કરાયો છે.
જ્યારે દ્વારકા જિલ્લામાં હાઇ ટેન્શન વોલ્ટેજ લાઇનના 3681 લો ટેન્શન વોલ્ટેજના 159 પોલને તેમજ 50 ટ્રાન્સફોર્મરના નુકસાનથી 198 ગામ અસરગ્રસ્ત થયેલા અને તે તમામ 198 ગામમા વીજસપ્લાય ફરી શરૂ થયો છે દરમ્યાન દ્વારકા જિલ્લામાં વીજવિભાગને કુલ રૂ722 લાખનુ નુકસાન થયુ હતુ એકંદર બંને જિલ્લામા હાઇટેન્શન 5640 પોલ લોટેન્શન 570 પોલ ટ્રાન્સફોર્મર 206 ના નુકસાન સાથે 480 ગામોમા વીજપુરવઠાને માઠી અસર પહોંચેલ તે તમામ 480 ગામોમા ફરી વિજળી રાબેતા મુજબ કરાઇ હોવાનુ તેમજ સર્કલનુ કુલ નુકસાન રૂપિયા 12 કરોડ 19 લાખનુ થયાનુ સર્કલ હેડ રાડાએ જણાવ્યુ છે.
-દરિયાકાંઠા વિસ્તારો અને પુરગ્રસ્તોમાં વધુ નુકસાન
છેલ્લા એક મહિનામા વરસાદના ત્રણ રાઉન્ડ ખુબ ભારે હતા તેમજ દરિયા કિનારાના ઓખા દ્વારકા કલ્યાણપુર સલાયા વાડીનાર સિક્કા બેડી જોડીયા વગેરે ગામો તેમજ તાલુકાઓ અને તેના ગામડાઓમાં ભારે પવન સાથેના વરસાદે વીજલાઇન અને વીજપોલના સોથ વાળ્યા ઉપરથી પુરના પાણી અસંખ્ય ગામોમા ભરાતા વીજલાઇનોમા શોર્ટ સરકીટથી ભારે નુકસાન થયા તેમજ વીજ લાઇનોમા સપ્લાય બંધ થઇ ગયા તેમજ દ્વારકા જિલ્લામા દરિયા કિનારાનો વિસ્તાર વધુ હોઇ ત્યા મીની વાવાઝોડા સાથેના વરસાદે વીજવિભાગને વધુ નુકસાની કરી છે જે નુકસાની બાદ તંત્રએ તાબડતોબ વીજ સપ્લાય માટે ખુબ મહેનત કરવી પડી હતી.