Mysamachar.in-જામનગર
ફરી પાછી કોરોનાની લહેર હાલ ઘાતક બની છે, એવામાં કેટલાય દર્દીઓ જે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ગભીર સ્થિતિમાં કેટલા દર્દીઓને પ્લાઝમા થેરાપીની જરૂર હોય છે, પ્લાઝમા જે વ્યક્તિ એક વખત કોરોના પોજીટીવ આવી ચુક્યા હોય તે પ્લાઝમા તબીબોનો સલાહ મુજબ ડોનેટ કરી શકે છે, પરંતુ કેટલાક લોકો પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ નથી આવતા જો ખરેખર જેને કોરોના પોજીટીવ આવી ચુક્યો છે અને તેના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થયા હોય તેને પ્લાઝમા ડોનેટ કરી અન્ય ગભીર દર્દીઓને મદદરૂપ થવું જોએ જામનગર જી.જી. હોસ્પીટલના સીનીયર તબીબે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કરી અન્યોને પણ પ્રેરણા આપી છે.
જામનગરના જાણીતા અને બાળકોમાં શ્રીમદ ભગવદ ગીતાના સંસ્કારોનું સિંચન કરનાર શ્રી સાધના મંદિર ગીતા વિદ્યાલયના કિશોરભાઈ દવેના પુત્ર ડો.જયદેવ દવે જામનગર જી.જી. હોસ્પીટલના એનેસ્થેસિયા વિભાગમાં એસો.પ્રોફેસર તરીકેની ફરજ સુપેરે નિભાવે છે. ત્યારે પિતાના પગલે સેવાના સંસ્કારોનું સિંચન ડો.જયદેવ દવે અને તેના તબીબ પરિવારના લોહીમાં વહી રહ્યું છે, જયારે પણ હોસ્પીટલમાં કોઈને પણ મદદની જરૂર હોય જાણીતા કે અજાણ્યા તેના માટે ડો.જયદેવ દવે ખડેપગે જ રહે છે અને દર્દીઓની દિલથી સેવા કરે છે.
એવામાં ડો.જયદેવ દવે થોડા સમય પૂર્વે કોરોના સંક્રમિત થયા હતા અને જે બાદ સ્વસ્થ થઇ અને તેવોએ દર્દીઓની સેવા સાથે કોવીડ હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓની હિતમાં તેવોએ ગઈકાલે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પ્લાઝમા ડોનેટ કરવા વધુ લોકો આગળ આવે તેવી અપીલ પણ તેવોએ કરી છે. તેવોએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા શરીરમાં એન્ટીબોડી બનતા રહે અનેં હુ જે દર્દીઓને જરૂર હોય તેને વારંવાર મદદ માટે આગળ આવતો રહું તેવી શક્તિ અર્પણ મને ઈશ્વર કરે અને લોકો પણ પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવે અને જામનગર જી.જી. હોસ્પીટલની બ્લડબેંકનો સંપર્ક કરે તેવો અનુરોધ પણ તેવોએ કર્યો છે.