Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જામનગર તાલુકાના CRC કો ઓર્ડીનેટર નાથાભાઈ કરમુરને કારણ દર્શક નોટીસ આપવાનો મામલો ભારે ચર્ચાનું કેન્દ્ર જામનગર જીલ્લાના શિક્ષણ જગતમાં બન્યો છે, અને શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહેવાય છે કે બે સંઘોની ચાલી રહેલ લડાઈનો પણ આ ભાગ છે તેવી ચર્ચાઓ શિક્ષણજગતમાં ચાલી રહી છે,
CRC કો ઓર્ડીનેટર નાથાભાઈ કરમુરને જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવેલ કારણદર્શક નોટીસનો કેટલોક ભાગ જોઈએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે તમારા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની યોજના અંગે ટીકા કરવામાં આવેલ છે. જામનગર તાલુકા અને જિલ્લાના, શિક્ષકોના ગ્રુપમાં શિક્ષણની પ્રવર્તમાન નીતિ અંગે પ્રતિકૂળ ટીકાઓ કરી શિક્ષકોને ઉશ્કેરવાનું કાર્ય આપના દ્વારા કરવામાં આવેલ છે. તમે સી.આર.સી.કો.ઓં-નધેડીમાં ફરજ બજાવો છો. જેથી આપના ક્લસ્ટરમાં આવતી સરકારી પ્રા.શાળામાં સરકારના શિક્ષણ વિભાગની યોજનાની મળતી દરેક પ્રકારની સૂચના શિક્ષકો અને આચાર્યને શાળા કક્ષાએ યોગ્ય અમલવારી થાય તેવા પ્રયત્નો હાથ ધરવાના હોય છે.
તેમ કરવાને બદલે તમે સરકારની શિક્ષણની નવતર બાબતોને લઈને અનેક પ્રકારની ટીકા-ટીપણી કરેલ છે. અને બિન જરૂરી સી.આર.સી. કો.ઓં.ને ન શોભે તેવું વિવિધ પ્રકારનું લખાણ કરી સેવા વર્તણૂકના નિયમો 1971નો ભંગ કરેલ છે. આ માટે તમારી સી.આર.સી. કો.ઑ. તરીકેની પ્રતિનિયુક્તિ રદ કરી તેમજ આવા વર્તુણક સબબ ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપિલના નિયમ 6 હેઠળ નિયત થયેલ શિક્ષાઓ પૈકી કોઈ પણ શિક્ષા શા માટે ના કરવી ? તે અંગેનો ખૂલાશો આ નોટિસ મળ્યાના દિવસે કરવા જણાવવામાં આવે છે.
-આ અંગે CRC કો ઓર્ડીનેટર નાથાભાઈ કરમુરે my samachar ને કહ્યું કે…
આ મામલે નાથાભાઈ કરમુરની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે સર્વેક્ષણને નામે જે શિક્ષકોની પરીક્ષા લેવામાં આવે છે સ્વૈછિક મહાસંધના જીલ્લાના મંત્રી તરીકે મેં સ્ટેટ્સ મુક્યું હતું તેના કારણે મને જે નોટીસ આપવામાં આવી છે તે પક્ષપાત રાખીને આપવામાં આવી છે.એટલું જ મારું કહેવું છે.