Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસતી જતી હોવાથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયુ છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઇ જતી હોવાથી મેડીકલ ઓફિસરોની તેમજ નર્સીગ સ્ટાફની ઘટની સામે જાહેરાત કરીને નવી ભરતી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમાં ખાસ સફળતા મળી નથી આરોગ્યતંત્રની માઠી એ છે કે એક તરફ કોરોના બીજી તરફ ડેંગ્યુનો રોગચાળો છે આ ચિંતા વચ્ચે ઘણા ગામોમા તો આરોગ્ય તંત્ર પાસે ડોક્ટર અને નર્સ પણ પુરતા નથી,
મળતી વિગત મુજબ હાલારમાં દિવસને દિવસે કોરોના વધુ વિકરાળ બનતો જાતો હોવાથી તેની સામે પુરતા સાધનો અને તબીબોની ઘટ પડતી હોવાથી જામ્યુકોનું આરોગ્ય વિભાગ હરકતમાં આવીને તાકીદે તકેદારીના ભાગરૂપે પગલા ભરીને હંગામી ધોરણે મેડીકલ ઓફીસર ભરવા માટે એમબીબીએસ તબીબોને સેવા આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી સાથો સાથ લેબોરેટરી ટેકનીશ્યનની પણ જરૂર હોવાથી જામ્યુકોમાં લેબ ટેકનીશ્યનની જરૂરત ઉભી થવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામ્યુકો આરોગ્ય વિભાગ ડેન્ગ્યુની સામે પણ ઝુંબેશ ચલાવી રહ્યુ હોવાથી બેવડી જવાબદારી સાથે હેલ્થ વર્કરોથી માંડીને તબીબો સર્વેની કામગીરી વગેરે બજાવી રહ્યા છે અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના સેમ્પલ લેવાની કામગીરીથી માંડીને કનટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં પણ મહત્વની ભૂમિકા સામે કોરોનાનો ફેલાવો વધવાથી સ્ટાફની અછત ઉભી ન થાય તે માટે ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ તે સંતોષકારક ન રહી,
જ્યારે જી.જી. હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં નર્સીગ સ્ટાફ ફરજ બજાવ્યા બાદ શિફ્ટ વાઇઝ કામગીરી કરીને 7 દિવસ હોસ્ટેલમાં ફરજીયાત રહેવુ પડતુ હોવાથી જી.જી.માં કોરોના દર્દીની સંખ્યામાં આ માસ દરમિયાન વધારો જોવા મળી રહ્યો હોઇ જેને લઇને અધિક્ષક દ્વારા 3 માસના કરાર આધારીત નર્સીગ સ્ટાફની જરૂરત ઉભી થયેલ હોવાથી નર્સીગ સ્ટાફની ભરતી માટે જાહેરાત કરવાની ફરજ પડી હતી તેમા પણ પુરતો સ્ટાફ મળ્યો નથી જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ આવેલ લાલપુરમાં 3 તબીબોની તેમજ જામજોધપુરમાં 5 તબીબોની ઉપરાંત કાલાવડમાં એક તબીબ એટલે કે મેડીકલ ઓફિસરની ઘટ હોવાની સામે ગ્રામીણ ક્ષેત્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ અને જિલ્લા પંચાયતએ મેડીકલ ઓફિસરની જાહેરાત કર્યા બાદ માત્ર બે તબીબો સેવા આપવા રાજી થયા હતા
આમ જામનગરમાં કોરોનાની સ્થિતિ વણસતી જતી હોવાથી ટુંકા આરોગ્ય સ્ટાફ વચ્ચે કોરોનાની સામે લડત આપવા વધુ સ્ટાફની જરૂરત ઉભી થવાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવીને સ્ટાફની ભરતી કરવાની જાહેરાત કરતા સ્થિતિ વિકટ હોવાનું મનાઇ રહ્યુ છે. તેમજ જીજીહોસ્પિટલમા કોવિડ વિભાગમા તાલીમ વગરના તેમજ કોઇ તબીબી ક્ષેત્રના અણઆવડતી સ્ટાફથી તંત્રને ચલાવવુ પડતુ હોઇ પેશન્ટની કેર થી માંડી અનેક બાબતોના પ્રશ્ર્નો દર્દીઓમાંથી ઉઠે છે.