Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બન્ને હોદા પર હાલ એક જ અધિકારી એસ.એલ ડોડીયા ફરજ બજાવે છે, ડોડીયાની ખાનગી શાળાઓ પર રહેમ નજરના કેટલાય કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, અને સામે આવતા રહે છે, તો તેના દ્વારા કરવામા આવતા મેળકાળવગરના ઓર્ડરો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ તેનું ધ્યાન દોરે બાદમાં તેવોએ કલાકોમાં રદ કર્યાના અનેક દાખલો તેમના કાર્યકાળ દરમિયાનના મૌજુદ છે,
એવામાં વાત છે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી સમયે શિક્ષકોને ફરજો સોંપવાની…ફરજો સોંપવા સામે કોઈ વાંધો ના હોય શકે..વાત એવી છે કે શિક્ષકોને સસ્તા અનાજની દુકાનો પર ફરજો સોંપવામાં આવે છે, આ ફરજમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોડીયાએ વધુ એક વખત અક્કલનું પ્રદર્શન કર્યું હોય અને ઉતાવળે ઓર્ડરો કાઢી નાખ્યા હોય તેમ બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક,એક મૃત્યુ પામેલ શિક્ષક, અને કેટલાય શિક્ષકો જે કન્ટેન્મેટ ઝોનમાં વસવાટ કરે છે, તેવા શિક્ષકો તો કેટલાય પોતાના વતનમાં ચાલ્યા ગયા છે તેના ઓર્ડરો કાઢી નાખ્યા બાદ આ ઓર્ડરો જામનગર તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીએ સુધાર્યા હોવાનું સામે આવે છે.
-મારે કાઈ કેહવું નથી બહુ કામમાં છું:એસ.એલ.ડોડીયા
આ અંગે અમે એસ.એલ.ડોડિયાની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ કર્યો પણ તેવોએ કહી દીધું કે મારે કહેવું નથી બોર્ડના રીઝલ્ટ ને કારણે બહુ કામમાં છું.