My samachar.in:જામનગર
જામનગરના લાલપુર બાયપાસ નજીક મોટી એવી દરેડ ઔદ્યોગિક વસાહત આવેલ છે, અહી કેટલાક કારખાનેદારો દ્વારા દુષિત પાણી યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે બારોબાર નિકાલ કરવામાં આવતું હોવાની ફરિયાદ બાદ આવો જ એક મામલો રંગેહાથ ઝડપાયો છે, જાગૃત નાગરિકે આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતા બોર્ડના કર્મચારી દ્વારા આ ટેન્કર ચાલક સામે પર્યાવરણીય નુકશાન અંગેની ફરિયાદ પંચકોશી બી ડીવીઝનમાં નોંધાઈ છે, જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તાર નજીકમાં આવેલ કનસુમરા પાટિયા પાસેના પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાના નજીક જ કારખાનાનું એસીડીક પાણી યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે તેનું ટેન્કર ભરી ટેન્કર ચાલક રામા કરશન મોરીએ કારખાનાનું એસીડીક (ગંદુ પાણી) ટ્રેક્ટરમાં ભરી, 477 નંબરના પ્લોટ પાસે આવેલ જાહેર સ્થળે પર્યાવરણને સીધી અસરો પહોચે તે રીતે નિકાલની ગટરમા ખાલી કરવાની કોશીશ કરી હતી…
ચાલકની આ હરકત રસ્તે જતા લોકોને ધ્યાને આવી જતા ટોળું એકત્ર થયું હતું અને ચાલકને અહી પાણી નિકાલ કરવાની ના પાડી હતી. જો કે ટેન્કરનો ચાલક અહીંથી નાશી ગયો હતો. આ અંગે કોઈ જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જામનગરની કચેરીને ટેલીફોનીક જાણ કરવામાં આવતા કચેરીના મદદનીશ પર્યાવરણ ઈજનેર કૃણાલ તન્નાએ પંચકોશી બી ડીવીજન પોલીસમાં ચાલક સામે પર્યાવરણ સુરક્ષા અધિનયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ચાલકની શોધખોળ શરુ કરી છે. એસીડીક (ગંદુ પાણી) જાહેરમા ગટ્ટરમા છોડવાથી માણસોના સ્વાસ્થયને હાની પહોંચે તે રીતે તથા કુદરતી હવા તથા પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદુષિત કરવાનો આ મામલો તો સામે આવ્યો છે પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ એક કેસ સુધી જ સીમિત રહેશે કે કેમ તે જોવાનું છે.