Mysamachar.in-જામનગર
જામનગરમા એક તરફ કોરોના એ તો માઝા મુકી છે ઉપરથી વાયરલ તાવ શરદી તુટ કળતર અપચા ડાયેરીયા પેટની ગરબડ પેટમા બળતરા ભુખ ન લાગવી ઉલટી ઓબકા નબળાઇ થાક સહિતની તકલીફોએ લોકોને ભરડામા લીધા છે તેમજ પાણીજન્ય તેમજ ફ્લુ જેવા ચેપજન્ય રોગો વકર્યા છે. જુદા-જુદા ડોક્ટરો અને એલોપથી તેમજ આયુર્વેદ મેડીકલ સ્ટોર્સના અભિપ્રાય મુજબ હાલ ચિંતાજનક રીતે લોકોને પેટની તકલીફ સાથે વાયરલ તાવ શરદી દુખાવા વધ્યા છે, ભારે વરસાદથી નદી ડેમ તળાવમા પાણીના વહેણ સાથે ત્રાસદાયક ગંદકી જમીનની ખરાબી અને જુદા -જુદા વેસ્ટ ભળ્યા હોઇ પાણી વિતરણમા પણ સો ટકા ક્લોરીનેશન ન થાય પુરતુ ફીલ્ટર ન થાય ફટકડી પુરતી ન નખાય તેમજ વોટર ઓવરહેડ ટેન્ક અને સમ્પ ચોખા ન થાય આ બધુ સો ટકા પુરેપુરૂ ન થાય તો પાણીજન્ય બિમારી વધે તેમ નિષ્ણાંતો કહે છે,
ઉપરાંત જે લોકો તળના પાણી પીવે છે તેમના બોર ડંકી તેમજ જાહેર બોર કુવા ડંકીથી ચારેતરફ દસ-દસ ફુટ ગટર સેફટી કે ગંદા પાણી ગંદકીના ખાડા ન હોવા જોઈએ નહી તો તળ બગડે પાણી બગડે અને નુકસાન કરે છે તેમ.પણ જાણકારો ઉમેરે છે, કેમકે વરસાદી પાણી દૂર દૂરથી આવતા હોય ને એકઠા થાય તે પીવાના પાણીની તમામ વ્યવસ્થામા ભળે તેમા માટી ક્ષાર જમીની પ્રદુષણ બધુ જ ભળે માટે પચવામા જોખમી બને અને તળના પાણી પણ બગડે એ પણ જોખમી બને છે. સાથે સાથે હજુ અનેક સ્થળે પાણીના ખાડા કોહવાયેલા કચરા ગંદકી પડ્યા છે માટે મચ્છર અને માખી તેમજ જંતુ વધ્યા હોય તે પણ રોગચાળો ફેલાવે છે,
આ બધા જ વચ્ચે કોરોનાના વધતા પ્રકોપ થી લોકો માનસીક ગભરાટ અનુભવે છે કેમકે કોરોનાનો ચેપ લાગ્યા બાદ દાખલ થયા બાદ સારવાર પુરી કરી રજા લીધા બાદ પણ કાળજી ન રખાય તો પણ કોરોનાની લગત તકલીફો જેમની રોગપ્રતિકાર શક્તિ નબળી છે, તેમનામા હજુ રહે છે તે વાયરસ ફરી એક્ટીવ થઇ શકે તેવા સંશોધનોના તારણ છે. જામનગર શહેર જિલ્લાના તાલુકા ગામડા દ્વારકા જિલ્લામા પણ તમામ વિસ્તારોમા કોરોનાને સમાંતર હાલ અનેક તકલીફો વધી હોવાની લોકોની ફરિયાદ છે, આવા સંજોગોમા લોકો જાતે થોડા દિવસ દવા લઇ લે છે બાદમા ડોક્ટરો પાસે જાય છે ત્યા સુધીમા તકલીફ ઘર કરી જાય છે તેમજ જનરલ પ્રેક્ટીસનર્સ સામાન્ય દવા આપી બ્લડ યુરીન વગેરે ટેસ્ટ કરાવાના ખર્ચામા દર્દી ને ન પાડી લક્ષણો મુજબ દવા આપે છે,
પરંતુ પચાસ ટકાથી વધુ કિસ્સાઓમા આવી તમામ તકલીફ ફરીથી વધે છે માટે કોઇપણ જોખમ લીધા વગર માત્ર કોરોનાના જ નહી પરંતુ બીજા રોગોમા પણ પુરતા લેબ પરીક્ષણ કરાવી લેવા સલાહભર્યુ છે, તેમ પણ તબીબી ક્ષેત્રમાંથી અભિપ્રાય આવ્યા છે. દરમ્યાન લોકોએ કોઇપણ તકલીફમા દવાખાને બતાવી ને જ દવા લેવી પાણી ઉકાળી ને કે સારી રીતે ફીલ્ટર કરેલુ જ પીવુ ( અમુક વખતે ધૂમ વેચાતા કહેવાતા ફીલ્ટર પાણી પણ શુદ્ધ નથી હોતા) ફ્રુટ ખાવા ખોરાક તાજો ને હળવો જ ખાવો જંતુઓ ન આવે તે માટે ચોખ્ખાઇ રાખવી દવા છંટકાવ ખુબ જ કરાવવા પાણીના ભરાવા સાફ કરાવા કચરા ઉપડાવવા તેમજ દહી છાસ અને જેને રસોડા ઔષધ કહેવાય છે તે જીરૂ, ધાણાજીરૂ, હળદર, આદુ, સુંઠ, મધ,તુલસી, લીંબુ, ગોળ વગેરેના સેવન કરવાની પણ નિષ્ણાંતો ની સલાહ છે,
હાલ કોરોના કારણે લોકો ગભરાટ અનુભવે છે ત્યારે બીજી બિમારીઓ પણ વકરી હોય લોકોએ સાવચેત રહી દવા અને જરૂરી કાળજી લેવાની ખુબ જરૂર છે તેમજ ઘેર થઇ રહેલા સર્વેમા પણ સહકાર આપવાની જરૂર છે તેમજ દવાના કોર્ષ પુરા કરવા અને પરેજી રાખવી જરૂરી છે.