Mysamachar.in-જામનગર
જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ના રીજીયોનલ ઓફીસર બી.જી.સુત્રેજા પર અચાનકની એસીબીની તપાસની લપેટમાં આવી ગયા બાદ જામનગર અને રાજકોટ ની તેમની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે કેમકે સાયબ પકડાયા તો બીજા કોઇ ઉપર તો ઘાત નહી ઉતરેને.? તેવો ભય હોય તે સ્વાભાવિક છે વળી એમાય એસીબી જો આ કચેરીઓમા જરૂરી પુરક વિગત લેવા જાય તો પણ અમુકના તો હાજા ગગડી જાય તે સ્વાભાવિક છે, પરંતુ હાલ તો સૌ શીયાવીયાં થયેલા હોવાનુ સુત્રો જણાવે છે જો કે ઘણા અમુક રસ્તા અપનાવી આવનારા સકંજાથી બચી શકવાના રસ્તા જાણતા હોય અને ઘી ના ઠામમા ઘી પાડવાના માહિર પણ હોય છે. તેમ ચર્ચાય છે જો કે દર વખતે આવા દાવ સફળ ન પણ થાય માટે જ ફફડાટ વ્યાપ્યો છે,
દેખીતુ છે કે જામનગર કે રાજકોટની કચેરીઓમાં આ સાયબના કોઇ ખાસ તો હશે જ ને? જે સાયબ વતી કંઇક-કંઇક ખાસ પ્રકારના સંદેશાઓ વગેરેની આપલે ઓફીસ પ્રોસીજરના આધારે કરતા જ હશે માટે આવા કોઇને શોધવા એ પણ એસીબી માટે એક ફરજનો જ ભાગ બની રહેશે જોકે સુત્રોએ બંને કચેરીઓના મળી ચારેક એવા નામ જણાવ્યા છે જે એક યા બીજી રીતે આવી પ્રવૃતિમાં ઇન્વોલ્વ હોય શકે છે જેમાં ફીલ્ડ એન્જીનિયર લેબ કર્મચારી ક્લાર્ક વગેરે કેડરનો સમાવેશ થાય છે જો કે આ તમામ શંકાઓ તપાસ બાદ ખરી ઉતરે ત્યારે જ સાચી વિગત બહાર આવી શકે છે પરંતુ એક વાત તો ખરી કે દર વખતે સાયબ ડાયરેક્ટ કે વન ટુ વન ડીલ( અમુક કિસ્સાઓને બાદ કરતા) ન જ કરતા હોય માટે સવાલ અને શંકા બંને ઉભા થાય કે લાંચની લીંકની તપાસ જરૂરી બની ગઇ હોય તપાસ થશે કે કેમ ? તેવી ચર્ચાઓ છાને ખુણે જાગી છે.