Mysamachar.in-જામનગર
કોર્પોરેશનમા ભુગર્ભ શાખાના કાર્યપાલક થવા માટે થઇ રહેલી ચર્ચાઓ મુજબ તલાપાપડ ઉમેદવારે બધા જ પ્રકારના ચીલા અને નિયમો ચાતરી પોતાને જ પદ મળે તે માટે જ્યા-જ્યા અવેજ ચુકવ્યો હશે તે એળે ગયો અને તેનો હવેજ થઇ ગયો તેવી ચર્ચા જાણકાર વર્તુળોમાં થઇ રહી છે..આ આવી ચર્ચાઓને સમર્થન ત્યારે જ મળે જ્યારે જેને અવેજ ચૂકવ્યા હોય….કોર્પોરેશનમાં ડ્રેનેજ શાખામા ખાલી પડેલી કાર્યપાલક ઇજનેરની જગ્યા માટેની જાહેરાત સંદર્ભમાં ફોર્મ ભરાયા ઇન્ટરવ્યુ પરીક્ષા વગેરે થયા તેમા ત્રણ ઉમેદવાર જે ત્રણેય કોર્પોરેશનમાં જ નોકરી કરે છે તેનુ એક આખરી લીસ્ટ થયુ હતુ, જેમાંથી અમીત કણસાગરાને જ પસંદ કરવા ખેલ રચાયા લાયકાતો અનુભવ બધુ બદલાયુ અને બીજા લાયક ગણી શકાય એમ હતા તેને નેવે મુકાયા અને કણસાગરાની તરફેણ કરતી પ્રક્રીયા સીલેક્શન કમીટી સ્ટેન્ડીંગ કમીટી કમિશનર વગેરે જ્યા જ્યા પ્રકરણ જાય ત્યા ત્યા થઇ એનુ કારણ જે હોય તે કેમકે એમા કંયાય શંકાને તો અવકાશ જ નથી કેમકે તદન પારદર્શી સરકાર જ છે.પરંતુ પારદર્શી સરકાર છે તેનો સાચો ખ્યાલ ઉપરથી આવ્યો સરકારે આ ચોક્કસ વ્યક્તિ ની તરફેણમા લાયકાત મા અનુભવમાં તેમજ બીજા માપદંડમાં કોર્પોરેશને કરેલા સુધારા રદ કરી નિમણુંકની પ્રક્રિયા જ રદ કરી નાખતા સમગ્ર પ્રકરણ લીલા તોરણે પાછુ આવ્યુ અને ભાઇ કણસાગરા અને તેમના માટે દરેક સ્તરે અને દરેક પ્રકારે મહેનત કરનારા પાછા પડ્યા ભોંઠા પડ્યા આંચકા લાગ્યા બધી મહેનત પાણીમા ગઇ નહીતો ગમે તેમ મારી મચડી કણસાગરાને જ બેસાડવા માટે નો સમગ્ર ખેલ ખુબ મહેનત વાળો હતો અને તન મન ધન થી પુરે પુરા પ્રયાસ કરાયા હતા..
ભાઇ કણસાગરા ભુગર્ભ ગટર શાખામાં લાંબા સમયથી ફરજમાં છે અને સૌ જાણે છે તેમ અત્યાર સુધી ભુગર્ભ ગટર પ્રોજેક્ટમાં પોણા ત્રણસો કરોડ વપરાય ગયા છે ભલે તે દરેક રકમના પ્રોજેક્ટ વખતે ભાઇ કણસાગરા એ કામ કર્યુ ન હોય પરંતુ મોટા ભાગનુ થયુ હોય અને ત્યા સુધી કે તે વખતના સદગત કાર્યપાલકને પણ ખુબ ભરોસો હોઇ ભુગર્ભ શાખાનો પર્યાય જ કણસાગરા બની ગયા હતા. ભુગર્ભ ગટરના કામોમા ગેરરીતી થાય છે તેવી અનેક રજુઆતો ફરિયાદો મૌખીક લેખીત થતી જ રહી છે સ્થળ ઉપર કામ પણ અટકાવેલા તેમજ સ્પેશીફીકેશન મુજબનુ કામ નથી અને ક્વોલીટી મટીરીયલ નથી તેવી બૂમ ઉઠતી જ રહી હતી છતા પણ કામ થયે રાખ્યા જંગી નાણા વપરાય ગયા હજુ ઘણુ કામ બાકી પણ છે જ્યા કામ થયા ત્યા ત્યા ફોલ્ટ સર્જાતા ટેકનીકલ અનેક ખામીઓ પણ બહાર આવી વારંવાર પ્રજા પ્રતિનિધીઓ એ વિરોધ પણ કર્યા પરંતુ ગમે તેમ તો ય કામ થયા જ રાખ્યુ હતુ હજુય થાય છે દેખીતુ જ છે બધુ જ એક ના હાથમા હોય તો જંગી રકમના પ્રોજેક્ટ માં નાણા પણ જંગી તારવી શકાય અને સાચવવા જેવા હોય તેમને તેની કેપેસીટી મુજબ સાચવી પણ લેવાયા જ હોય ઘણા તો મજાક કરે છે.
ભુગર્ભ માટે જે ગ્રાન્ટ આવે એટલે ભાગબટાઇ પહેલા થતી હશે અને જે થોડુ ઘણુ વધતુ હશે તેનુ જ કામ થતુ હશે માટે તો દરેક જગ્યાએ નક્કર કામ થયા નહી અને વળી જમીન ની નીચે જ કામ થાય ક્યા બહાર દેખાવાનુ છે ખુલ્લુ હોય ત્યા સુધી વળી બુમ બરાડા થાય તો તે અવાજ પણ દબાવી દેવાતો હશે અને પ્રોજેક્ટ આગળ ધપતો ગયો નાણા ખર્ચાતા જ રહ્યા તો બચત પણ થઇ હોય જોકે બચત નહી નાણા તારવ્યા હશે એમ કહી શકાય માટે બધી રીતે જોઇએ તો તારવેલા નાણામાંથી ક્યાક વેરવા પડે ક્યાય નાંખવા પડે ઘા કરીને તો સહેલુ પડે માટે જેને ગમે તેમ કરી જુનિયરમાંથી સીધુ સાહેબ જ થવુ હતુ તેણે તે બધુ કર્યુ જ હોય તો જ દરેક સ્ટેશનેથી રોકાયા વગર ફાઇલ નીકળી જાય અને નીકળી પણ ગઇ અને સરકારમા પહોંચી પણ ગઇ ત્યા પણ ભાઇ જુનિયર અને તેના માટે ખુબ મહેનત કરનારા બે ત્રણ પહોંચી ગયા દરેક પ્રકારે ફાઇલ મંજુર થાય તે માટે કારસા તો કર્યા જ હોય પરંતુ તેમ છતા સફળ ન થયા અને લીલા તોરણે પ્રકરણ પાછુ આવ્યુ નીમણુક ન કરવી તેવા આદેશ ઉપરથી થયા અને તમામ પ્રક્રીયા રદ કરવા હુકમ થયા જો કે લોકોના મતે આ તમામ મુદાઓ માત્ર આક્ષેપો છે સાચુ તો જેમના હાથે જે કંઇ થયુ હોય તે જ જાણતા હોય અને ઘણી વખત આક્ષેપ કરવા સહેલા છે આ બધી પ્રોસેસમાંથી પસાર થવુ બહુ અઘરૂ છે.
હવે વાત એ છે જે જાણકારોમાં ચર્ચાય છે તે…..જો કે આ વાત ને ભાઇ કણસાગરાના પ્રકરણને કોર્પોરેશનમાં સમગ્ર વહીવટ ચલાવનારાઓને કે બહારથી સંચાલન કરનાર કોઇને માટે કંઇ લાગુ પડતુ જ નથી પરંતુ ચર્ચા એ છે કે આપણે ત્યા કોઇ કામ કરવા અવેજ ચુકવાય અને તે કામ ન થાય વળી બે પાંચ જણાને સારા એવા અવેજ જેવુ કામ તે મુજબ ચુકવાય બાદમા હેતુ સરે નહી તો અવેજ પરત આપવાની પ્રથા લગભગ તો નથી એ તો ગયા જ ગટર થઇ ગયા ભુગર્ભમાં દબાઇ ગયા એમ સમજવુ પડે વળી અવેજ લેનારા તમામ એમપણ કહેને કે સક્ષમ હોય તે જ આટલા મોટા અવેજ ચુકવી શકે અને અત્યાર સુધી જંગી ઘર ભેગુ કર્યુ હોય તો જ બધાને મોં માંગી લ્હાણી થઇ શકે અને હજુય જ્યા હોય ત્યાથી સરવાણી તો ચાલુ જ રહેતી હોય અને મોટુ કામ કરાવવા અવેજ ચુકવ્યા હોય તો એ કામ થયા બાદ તો સરવાણી ધોધ બની જાય તેવુ કામ હોય ને માટે વેરવા તો પડે જ ભાઇ એનો અફસોસ પણ ન હોય કેમકે રાબેતા મુજબ સૌ સક્ષમ સાથે મળી જેમ લીલાછમ ખેતર આખલા ચરી જાય તેમ ફરી એકઠા કરી લેશુ ઘરની ખેતી છે અને પહેલાથી જ બધુ ગોઠવાયેલુ છે તો ચિંતા શાની બીજી તરફ અમુક એકઠુ કરનારા કંજુસ હોય તો તેને તો કંઇક થઇ જાય હો કે આટ આટલા અવેજ ચુકવ્યા તો ય કંઇ વળ્યુ નહી અને ફરી માહોલ સર્જાય ત્યારે મોંઘવારીના વધતા દર એમાય લાગુ પડે અને વળી અવેજ લેનારા હાલના હોય તેમાંથી મોટાભાગના તો બદલી પણ જાય અને ફરીથી આવી જ રીતે સડેડાટ બધુ સાંગોપાંગ ન પણ ઉતરે…..વગેરે વગેરે…..ફરી સૌ ને યાદ કરાવવુ જરૂરી છે કે અવેજ વાળી તમામ બાબતને ભાઇ કણસાગરાના સમગ્ર પ્રકરણ સાથે કદાચ કઈ નીશ્બત નથી.