Mysamachar.in-જામનગર
હાલના સમયમાં મોબાઇલ લોકેશન સીસીટીવી ફુટેજ વગેરે ટેકનોલોજી ગુના ઉકેલવામા મદદ કરે છે, પરંતુ ટેકનોલોજી ન હોય ત્યા શું થાય? માટે બાતમીદારોનુ નેટવર્ક વધે તે જરૂરી છે નહિ તો પોલીસથી છટકી ચોર લુટારા મોજથી સંતાતા ફરતા રહેશે હા બાતમીદારો સાચા અને ઠોસ હોવા જોઇએ તેમજ નજરવાળા હોવા જોઈએ તેમજ પોલીસે તેમને નુકસાન નહિ થાય તેનો ભરોસો આપવો પડે તે જરૂરી છે, નહિ તો ઘણીવાર બને છે તેમ બાતમીદાર કે ખાનગી ફરિયાદ કરનારા ઉલટા એ જ ગુનેગારોના હાથે નંદવાય જાય છે વાત જો કે બાતમીદારોની એટલે છે કે જામનગરમા ચાંદીબજારની ખુબ મોટી ચોરી હજુ નથી ડીટેક્ટ થઇ કેમકે ત્યા કોઇ ટેકનોલોજી હતી નહીને સુરાગ મળતો નથી જોકે આવા ઘણા ગુના અનડીટેક્ટ છે તેના ઘણા કારણો છે, એક જમાનો હતો પોલીસ માત્રને માત્ર બાતમીદારોના નેટવર્કથી જ ગંભીરથી સામાન્ય ગુનાઓના ભેદ ઉકેલતી હતી પરંતુ હાલ ટેકનોલોજીની પ્રગતીને લઈને પોલીસનું કામ આસાન થઇ ગયું છે. મોટાભાગના ગુનાઓના ભેદ ઉકેલવામાં ટેકનોલોજી હાથવગી બની જતા પોલીસને મોટી મસક્ક્ત કરવી પડતી નથી. પરંતુ જે ગુનાઓમાં ટેકનોલોજી જવાબ આપી દ્યે ત્યાં પોલીસ પાંગળી બની જાય છે,
પોલીસે બાતમીદારોના નેટવર્કને કોરાણે મૂકી દેતા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેનું તાજું ઉદાહરણ છે તાજેતરમાં થયેલ ચાંદી બજારની લાખો રૂપિયાની ચોરી, ચબરાક તસ્કરો ન તો સીસીટીવીમાં દેખાયા કે ન તો મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો, બસ પોલીસ અહી કાચી પડી છે. આ ચોરીને મહિનાઓ વીતી ચુક્યા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોચી નથી તેનું પ્રબળ કારણ બાતમીદારોના નેટવર્કનો અભાવ ગણી શકાય, છેલ્લા એકાદ દસકામાં થયેલ મોટાભાગના ભારે ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે હત્યા, ચોરી, લુટ કે ધાડ સહિતના અનેક મોટા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પોલીસે તીતીરભીતર કરી દીધા છે, પોલીસની આ સફળતામાં ટેકનોલોજીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કહેવાય છે કે ગુનેગાર ચાલક ભલે હોય પણ કોઈ ને કોઈ સુરાગ તો છોડીને જ ગુનો કરતો હોય છે. પોલીસ તપાસમાં મહત્વનો ભાગ ભજવતી ટેક્નોલોજી ગુનેગારોની નબળી કળી સાબીત થતી આવી છે,
કોઈ પણ ગુનાને ઉકેલવા ટેકનોલોજી હાથ વગુ હથિયાર બની જતા પોલીસની જૂની પુરાની દિવસો સુધીની મહેનત ગુમ થઇ ગઈ, સમય અને ખર્ચ પણ ઓછો થઇ જતા પોલીસની મહેનત પણ ઓછી થઇ ગઈ, પરિણામ એ આવ્યું કે કોન્સ્ટેબલથી માંડી જમાદાર, ફોજદાર, પીઆઈ થી માંડી એસપી અને ડીજીપી થી માંડી ગૃહ વિભાગ પણ કામગીરીથી ખુશ-ખુશ થઇ ગયો, મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ તેમજ સીસીટીવીના માધ્યમે પોલીસની કામગીરી સાવ આસાન કરી દીધી, મોટાભાગના ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં આ ટેકનોલોજી કામ લાગી જ છે. ધીરે ધીરે આ ટેકનોલોજી એટલી વ્યાપ્ત થઇ ગઈ કે પોલીસે પણ બાતમીદારોથી નજર હટાવી લીધી કે થોડું અંતર રાખી લીધું, પરંતુ જ્યાં ટેકનોલોજી નિષ્ફળ નીવડે કે ચબરાક ગુનેગારો ટેકનોલોજીને કોરાણે મુકે ગુનો આચરે ત્યારે શું? જવાબ છે મોટાભાગના આવા ગુનાઓમાં પોલીસની નિષ્ફળતા, દુર જવાની જરૂર નથી, તાજેતરમાં જામનગરમાં ચાંદી બજારમાં મતવા શેરીમાં આવેલ ચાંદીને ઢાળી આપતી પેઢીમાંથી 27 કિલો જેટલી માતબર ચાંદીની ચોરી થઇ.
આ ઘટનાને ખાસ્સો સમય થયો છતા પોલીસ હજુ આરોપી સુધી પહોચી નથી. કેમ કે આ વારદાતમાં ટેકનોલોજી પોલીસને કામ આવી નથી. આ ઘટનામાં નથી સીસીટીવી ફૂટેજ મળ્યા કે નથી મોબાઈલ ફોન ઉપયોગ આવ્યો, એક વાત નિશ્ચિત છે કે વજનદાર ચાંદીને ઉચકવા મોટા વાહનનો ઉપયોગ થયો હશે, એક થી વધુ શખ્સોની સંડોવણી હશે જ, છતાં પણ પોલીસ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવામાં સફળ થઇ નથી. એનું પારદર્શક કારણ હોય શકે પોલીસનો ટેકનોલોજીના સહારે તપાસનો ધમધમાટ, પોલીસ ભલે દાવો કરે છે કે ચોરીનો ભેદ ઉકેલવા બાતમીદારોની ટીમ કામે લગાડી છે. પરંતુ લાંબા સમય બાદ પણ બાતમીદારોનું નેટવર્ક ચોર સુધી પહોચી શક્યું નથી એ વાસ્તવિકતા છે. પોલીસ વિભાગના જુના બાતમીદારના નેટવર્કની સામે ટેકનોલોજી હાવી થઇ હતા આ સમસ્યા સામે આવી હોવાનું નિવૃત પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.
બીજી તરફ અગાઉ દાણચોરી દેશદ્રોહિ પ્રવૃતિ ભાંગફોડ રમખાણો હુમલા સહિતના કિસ્સાઓમા બાતમીદારો કે ચબરાકો ઉપર સમગ્ર ખેલ ચાલતો ડ્રગ્સ ના રેકેટમા પણ બાતમીદારો ખુબ ઉપયોગી બને છે (અમુક સીટીમા હજુ બાતમીદાર નેટવર્ક સોલિડ પણ છે) અપહરણ હત્યા ચોરી અપકૃત્ય અનૈતિક ગુના મા પણ બાતમીદારો કડી આપી શકે પરંતુ તે માટે એરિયાવાઇઝ બાતમીદારહોવા જોઇએ તેમને મળવુ હળવુ પ્રોત્સાહન આપવુ પુરસ્કાર આપવા વગેરે કરવુ પડતુ હોય છે માત્ર ધોલ ધપાટ થી પુછી લેવાથી દર વખતે બાતમી ન મળે ઘણી વખત ખોટી સાચી બાતમી પણ ધંધે લગાડે તો ઘણી વખત અણસાર પણ ન હોય ને શંકાસ્પદ અટકાયતી તરફે બહારથી ક્યાક થી દેખાડાતી લાગણી થી ક્યારેક આખો ગુનો ડીટેક્ટ થઇ જતો હોય છે અને જામનગરમા એ રીતે પોલીસ સફળ પણ થયેલી છે એકંદર સાચી ઇન્ફર્મેશન અને ઠોસ બાતમીદારોએ પોલીસ કાર્યવાહીના જરૂરી અને પુરક બળ છે પરંતુ તેને હંમેશા લાઇવ રાખવા ઘણી મહેનત કરવી પડે અને તો અનડીટેક્ટ કંઇ મોટેભાગે ન રહે અને ગુનેગાર પણ પકડ થી લાંબો સમય દૂર ન રહે તેમ પણ પોલીસ વિભાગના અનુભવીઓએ આ ચર્ચા દરમ્યાન ઉમેર્યુ છે