Mysamachar.in-જામનગર
જામનગર અને જમીનકૌભાંડને જુનો નાતો થયો હોય તેવું છે, એવામાં આ વખતે એક રાજકીય આગેવાન પણ જમીન મામલે છેતરપીંડીનો ભોગ બન્યાનું પોલીસ દફતરે નોંધાયું છે, દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત, અને જામનગર જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તેમજ ખંભાળિયા માર્કેટીગ યાર્ડના ચેરમેન પી.એસ.જાડેજાએ જામનગર એલસીબી સમક્ષ ત્રણ ઈસમો સામે પોતાની સાથે જમીન મામલે છેતરપીંડી વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાવતા સિક્કા પીએસઆઈ કે.આર.સિસોદિયાને આગળની તપાસ સોંપવામાં આવી છે.
આઈપીસી કલમો 120(બી), 406, 420, 465, 467, 468, 471, મુજબ નોંધાયેલ ફરિયાદ મુજબ ત્રણેય આરોપી હસમુખ ખીમભાઇ ગોજીયા રહે.જામનગર, નેહાબેન ચીરાગભાઇ કારીયા રહે.પોરબંદર, આનંદ જસવંતભાઇ મોદી આ ત્રણેયએ એકબીજા સાથે કાવત્રુ રચી ફરીયાદી પી.એસ.જાડેજાની હાલની ચોવીસ લાખની કિંમતની જમીન પચાવી પાડવા વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનાહીત કાવત્રાના ભાગરૂપે ઠગાઇ કરવા પ્રથમ ફરીયાદી પી.એસ.જાડેજા પાસે કબજા વગરનો રજીસ્ટર વેચાણ કરાર નં.550/16 નો બનાવી બાદમાં ફરીયાદી ના નામે તા.30/9/16 ના ખોટી બનાવટી ચુકતે અવેજ મળ્યા અંગેની પહોંચ તથા કબજા પહોંચમાં ફરીયાદીના નામની બનાવટી સહીવાળો ખોટો બનાવટી પહોંચ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર ત્રણેય સામે ગુન્હો નોંધાયો છે.