Mysamachar.in-જામનગર:
જામનગરમાં અમુક-અમુક વિસ્તારોમાં લોકોને સસ્તા અનાજની બાબતે પારાવાર અને ક્યાંક-ક્યાંક તો હ્રદય દ્રાવક મુશ્કેલીઓ છે છતા કોઇ પુછનાર નથી રેશન વોર્ડની અનિયમિતતા બાબતે mysamachar.in ની ખાસ ઝુંબેશ દરમ્યાન અનેક સેન્સીટીવ અને સ્ફોટક બાબતો સામે આવી છે આ બાબતો એટલી ગંભીર છે કે સરકાર અનાજ પુરતુ મોકલે છે પરંતુ દરેક કાર્ડધારકને નિયમિત પુરતુ નથી મળતુ તેની પાછળ અનેક ખેલ ખેલાય છે જે ગ્રાહકોને અનાજ મળવાથી દૂર તો રાખે છે પરંતુ અમુક વોર્ડ ધારકોની મનમાનીઓ દર્શાવે છે
અનેક વિસ્તારોમાં નાગરીકોની આ બાબતે પીડાઓ સાંભળવા મળી છે, અનેક વિસ્તારોમાં વોર્ડ ધારકોની જોહુકમી જોવા અને જાણવા મળી છે, અનેક વિસ્તારોમાંથી વોર્ડ ધારકોના ગઠબંધનની બાબતો બહાર આવી છે તો વળી અમુક વિસ્તારોમાંથી જાણવા મળ્યુ છે કે ગરીબોના ભાગનુ અનાજ પુરતુ ન ફાળવી અમુક વોર્ડ ધારકો શા માટે મનમાની કરી શકે છે?? તેના કારણો અને તારણો જાણવા મળ્યા છે જે પણ ખુબ સ્ફોટક છે
પ્રજાની લાચારી અને ઓશિયાળા પણુ જોઇ ખરેખર હ્રદય દ્રવી ઉઠે તેવી ગેરરિતીઓ અને મનમાનીઓ જે રીતે અમુક-અમુક રેશનીંગ વોર્ડમાં ચાલે છે તે લગત વિભાગ એટલે કે પુરવઠા અધિકારીની કચેરીને ખબર ન હોય તેવુ જરાપણ માની શકાય નહી તેમ પણ સુત્રોએ આ વિગતો આપતી વખતે ઉમેર્યુ છે એક તરફ ભ્રષ્ટાચાર નાબુદીનો સરકારનો નારો છે, ત્યારે જામનગરના એક લાખ જેટલા રેશનકાર્ડ ધારકોમાંથી મોટાભાગનાની પીડા અંગે mysamachar.in દ્ધારા કન્ટીન્યુ તપાસ કરાઇ રહી છે અને વિગતો પુરાવા જે રીતે મળી રહ્યા છે તે જોતા આ ક્ષેત્રનો ભ્રષ્ટાચાર ગરીબોના કોળીયા ઝુંટવીને થાય છે તે શરમજનક અને હીનકક્ષાનો ભ્રષ્ટાચાર હોવાનુ જાણકારોએ ઉમેર્યુ છે
-સિલસિલાબંધ રીતે ઉચકાશે પરદા
રેશન વોર્ડની ગેરરિતી લગતકચેરીના અમુકના કારસ્તાનના ગઠબંધનના સીલસીલાબંધ પરદા ઉચકાશે કેમકે વોર્ડ વાળા કેટલો માલ આપે છે,? કેટલો નહી. બાકીના માલ નુ શુ કરે છે.? તેને આવુ કરવા માટે ચોક્કસ કર્મચારીને શુ આપવુ પડે.? તેમજ દુકાનના નિયમો શુ છે..કાર્ડના નિયમો શુ છે કાર્ડદીઠ શુ મળવાપાત્ર છે કચેરીએથી ભ્રષ્ટાચારની ચોક્કસની ઓપરેન્ડી શુ છે માલ ક્યા જાય છે કેવી રીતે જાય છે “કલેક્શન” કેમ થાય છે વગેરે અનેક વિષયોની સનસનીખેજ અને સ્ફોટક વિગતો મળી છે જે લોકોના હિતમા જાહેર થાય તેની ઘડીઓ ગણાય છે કેમકે લોકોએ કરેલી ફરિયાદોથી માંડી એસીબીથી કેવી રીતે ભ્રષ્ટાચારીઓ બચે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.