Mysamachar.in-જામનગર
શહેરમાં છાશવારે વ્યાજે નાણા ધીરનાર શખ્સોનો આતંક સામે આવતો રહે છે, કાયદેસર નાણા ધીરવાનું લાયન્સ તો કેટલાક પાસે જ પણ કેટલાક ગલીએ ગલીએ ફૂટી નીકળેલા વ્યાજવટાવના ધંધાર્થીઓ ફૂલીફાલી રહ્યા હોય તેમ લાગે છે અને ગમે તેને ગમે ત્યારે ધાકધમકીઓ આપી અને પરેશાન કરે છે, જામનગરમાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેની સીટી બી ડીવીઝન પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ સદગુરુ કોલોની સ્વસ્તિક સોસાયટીમાં વસવાટ કરતા સુમનકવર જયપ્રકાશસિંહ રાજપૂત નામની મહિલાએ સાઈનાથ એન્ટરપ્રાઈઝના માલિક અનિરુદ્ધસિંહ જાડેજા તથા મયુરસિંહ અને અન્ય અજાણ્યા ઈસમો વિરુધ ફરિયાદ નોંધાવી કે તેમના પતિ જયપ્રકાશસિંહને અનિરુદ્ધસિંહ જાડેજા રૂ-4,25,000 નિયત વ્યાજ કરતા ઉંચા વ્યાજે આપી તેમની પાસેથી આ રકમનુ ઉંચુ વ્યાજ મેળવતા હોય જે રકમ ફરિયાદી અને સાહેદથી ચુંકવી ન શકતા તેમને ધાક ધમકી અને મુત્યુનો ભય બતાવી તેમજ ફોનમા સતત ધમકીઓ આપતા હતા
જેથી ફરિયાદી સુમનબેને 4,25,000/- જેટલી રકમ લિધેલ હોય જે રકમની વ્યાજ સહીત રૂ-7,88,250/- જેટલી રકમ ચુકવી આપેલ હોય તેમ છતા તમારી રકમ બાકી નિકળે છે તેમ કહી લિધેલ ચેકો તેમની પાસે રાખી ચેકો બેન્કમા રીટર્ન કરાવી વધુ રકમ પડાવી લેવાની લાલચે અનિરૂધ્ધસિંહએ તેમના માણસો સાથે મળી ગુન્હાહીત કાવતરાના ભાગરૂપે મયુરસિંહ તથા બીજા અજાણ્યા માણસને ફરિયાદી બેનના ઘરે મોકલતા તેઓએ ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો બોલી અમારી પાસેથી લિધેલ રકમ વ્યાજ સહીતની પરત આપો નહીતર તમને જીવતા રહેવા નહી દઇએ રોડ અકસ્માતમા મુત્યુ નિપજાવાની વાત કરી ફરિયાદી સુમનબેનને મુત્યુ અથવા તો મહાવ્યથા કરવાના ભયમા મુકવા સારૂ ધમકીઓ આપી તેમને ભયમા મુકી ડરાવી ધમકાવી રકમ કઢાવવા પ્રયાસો કર્યા સબબની ફરિયાદ નોંધાતા પી.આઈ.કે.જે.ભોયે દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.