Mysamachar.in-ગાંધીનગર
કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં શાળા અને કોલેજો તો બંધ જ છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસોથી લોકોમાં ચર્ચા ઉગ્ર બની છે કે, ધોરણ 10 અને 12 સિવાયનાં વર્ગોને માસ પ્રમોશન આપી દેવામાં આવશે. આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક ટીવી માધ્યમ સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં આ વાતને રદિયો આપ્યો હતો અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું કે પરીક્ષા ન લેવાનો કોઇ વિચાર સરકારે કર્યો નથી. જે પણ વાત વહેતી થઇ છે તે પાયા વગરની છે. જ્યારે પણ શાળા ખુલશે અને જેટલો પણ અમે અભ્યાસક્રમ ભણાવ્યો હશે તેટલા અભ્યાસક્રમ પૂરતી પણ અમે પરીક્ષા લઇશું. તેમણે વધુમાં ટકોર કરતા જણાવ્યું કે, કોઇપણ વાત વહેતી થાય તે નહીં પરંતુ સરકાર તરફથી જે પણ જાહેરાત કરવામાં આવે તે જ વાત લોકોએ માનવી જોઇએ. કોઇ પાયા વગરની આધાર વગરની વાતને લોકોએ માનવી જ ન જોઇએ.તેમ તેવોએ જણાવ્યું હતું.