Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના કાલાવડમાં વરસાદથી રોડ ધોવાયો છે અને મસમોટા ખાડા પડ્યા છે તે ખાડા વ્યવસ્થિત બુરવાના બદલે માત્ર માટી નાખી ખાડા બુરાય છે માટે ફરી છાટા પડે તો પણ માટી ધોવાય જાય છે આ રોડના ખાડાથી ત્રાસેલા રાહદારીઓ અને વાહનચાલકોની પીડા સાંભળવાવાળુ કોઇ ન હોઇ હવે ત્રાહીમામ થયેલા લોકોને આંદોલન કરવુ પડે તેવી સ્થિતિ સર્જાય છે, કેમકે માર્ગ મકાન વિભાગના જ કેટલાકની કથિત મીલીભગતથી આવુ થઇ રહયાનુ દીવા જેવુ ચોખુ દેખાય છે,
કાલાવડના રાજ્યધોરીમાર્ગના ખાડામાં માટી નાખીને ખાડા પુરાય છે તે તસવીરો દ્રશ્યો ઠેર-ઠેર વાયરલ થયા છે અને ઉપરથી આ ખાડાઓમાં મોરમ નહીં પાથરનાર કોન્ટ્રાકટરને બચાવવા PWD ના જ જવાબદારો મેદાને પડ્યા હોઇ આ બાબત ચોખી શંકાની જ બાબત બની ગઇ છે, કાલાવડ શહેરમાથી પસાર થતાં સ્ટેટ હાઇવે રોડ ઉપરના ખાડાઓમાં મોરમની જગ્યાએ માટીઓ પાથરી ખાડાઓ બુરવા બાબતે કાલાવડ માર્ગ મકાન વિભાગના સેકસન ઓફિસર અને કોન્ટ્રાકટરો વચ્ચે કથિત મિલીભગતની કાલાવડમાં ચોમેર ચર્ચાઓ ચાલી રહી છે.
તાજેતરમાં જ વધુ વરસાદથી સમગ્ર રાજયમાં હાઇવે રોડ ઉપર પાણી ભરાતા મોટા-મોટા ખાડાઓ પડી જવા પામ્યા હતા જેથી વાહનચાલકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને અકસ્માતો બનવાના બનાવો વધી જવા પામ્યા હતા આ બાબતે અનેકવાર રાજ્ય સરકારને રજુઆતો મળતા તાત્કાલીક હાઇવે રોડ ઉપરના ખાડાઓ બુરવા રાજય સરકારે તાર્કિદે આદેશ કર્યા હતા
-માટી પુરી બીલ વસુલ્યા મોરમના..બોલો…છડેચોક ભ્રષ્ટાચાર
કાલાવડ શહેરમાં પ્રવેશતા જ કૈંલાશનગરથી નેશનલ ચોકડી સુધી અનેક ખાડાઓ પડી જવા પામેલ હતા જેની સ્થાનિક લોકોની રજુઆતો બાદ માર્ગ મકાન વિભાગ કાલાવડના સેકશન ઓફિસર દ્વારા તાત્કાલીક કોન્ટ્રાકટરને સૂચના આપી ખાડાઓ બૂરી આપવામાં આવ્યા હતા, પરંતુ આ ખાડાઓ માત્ર માટી નાખી બુરતા ફરી વરસાદને કારણે માટી ધોવાઈ જવાથી ફરીથી ખાડાઓ પડી જવા પામેલ હતા આ અંગે સૌ કોઇ સમજી જ શકે કે સરકારમાં ધારાધોરણ અને નિયમ મુજબ જાહેર ધોરીમાર્ગમાં મોરમ કાંકરી અને ડામર મિશ્રણ કરી ખાડાઓ પુરવાના હોય છે પરંતુ અહી તો માટી નાખી ખાડાઓ ખૂબી મોરમના બિલ ઉઘરાવી ચર્ચાઓ મુજબ કટકી કરી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે., આમ માટી બુરી મોરમના બીલ વસુલાયા તે સમગ્ર બાબતની ભ્રષ્ટાચારની ACB તપાસની અલગથી માંગણી ઉઠે કે આરટીઆઈ થાય તો નવાઈ નહિ.