Mysamachar.in-ગાંધીનગર
રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં સરકારી મેડીકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. પોતાની માગણીઓને લઈ છેલ્લા 3 દિવસથી રસ્તા પર ઉતરેલા તબીબો સામે હવે સરકાર એક્શન લેવાના મૂડમાં દેખાઈ રહી છે. રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલે સરકાર પણ અડગ વલણ રાખી રહ્યાના પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોકટરોની માંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણી આદેશ આપતા કહ્યું કે ડોકટરોની માગ ખોટી છે, ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાય.તબીબોની માંગણી અતર્કબદ્ધ હોવાનું પણ મુખ્યમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું છે.