Mysamachar.in-જામનગર:
હાલમાં અમલમાં રહેલા અને પર્યાવરણ કાયદા મુજબ મેટલ સ્ક્રેપના ટ્રેડીંગ તથા મેન્યુફેક્ચરીંગના એકમોને માલની હેરફેર તથા પ્રોસેસ સમયે ઘણી બધી અડચણ આવતી હતી આ પ્રશ્ને જામનગર ફેકટરી ઓનર્સ એસાસીએશન, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો, તથા એકઝીમ મેટલ મરચન્ટ એસોસીએશન જામનગરે સાથે મળીને જામનગર સાંસદ પુનમબેન માડમને રજુઆત કરતાં તેઓએ તુરંત જ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવનો સમય મેળવીને રૂબરૂ મુલાકાત ગોઠવેલ હતી
જે બાદ જામનગરના ઉદ્યોગકારો પુનમબેન માડમની આગેવાની હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને મળેલ હતાં. આ પ્રશ્નની અગત્યતા સમજીને મંત્રીએ તેમના ઉચ્ચ અધિકારીઓને પણ બેઠકમાં ઉપસ્થિત રાખેલ હતાં. સાંસદએ કરેલ સચેાટ તથા અસરકારક રજુઆત અનુસંધાને મંત્રી તથા અન્ય અધિકારીઓએ હાલના કાયદામાં રહેલ ખામીઓને સ્વીકારેલ અને તેના કાયમી ઉકેલ લાવવા માટે પર્વતમાન કાયદામાં સુધારા કરવા પડે તેમ હોય સમય લાગશે પણ વ્યાપાર/ઉધોગના હિતમાં શકય તેટલા ઝડપથી સુધારની પ્રક્રિયા પુરી કરશે તેવી ખાતરી આપેલ હતી.
જે અનુસંધાને ભારત સરકારએ ગત તા.15/11/2021 ના રાજ નોટીફીકેશન પ્રસિધ્ધ કરેલ છે અને તે મુજબ પ્રવર્તમાન કાયદામાં સુધારા કરીને બેઝલ નેામસ કે જેના પર વિશ્વના લગભગ તમામ દેશામાં વ્યાપાર થાય છે તે મુજબના સુધારાએ કરીને આપણા દેશના વ્યાપાર/ઉધોગને સમગ્ર વિશ્વની સમકક્ષ પ્રકીયા અનુસરવાની રહેશે જેથી વ્યાપાર/ઉદ્યાગ તથા ઉદ્યોગોમાં રોકાયેલ લોકો સરળતાથી તેમના વ્યાપાર/ઉદ્યાગ ચલાવી શકે.જામનગર સાંસદ પુનમબેન માડમના ત્વરીત તથા સક્રિય પ્રયાસોથી ફકત બ્રાસસીટી-જામનગરના બ્રાસઉદ્યોગ જ નહી પરંતુ ભારત દેશમાં મેટલ સ્ક્રેપના વ્યવસાય કરી રહેલા તમામ વ્યવસાયકારોના પ્રશ્નનો સુખદ ઉકેલ આવેલ હોય તેઓંને ઘણી જ રાહત થઈ છે.