Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા મનપા તંત્ર દ્વારા લાખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક અને રણજીતસાગર ઉદ્યાન 20 એપ્રિલ સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ દરમિયાન જ્યાં સેંકડો લોકો રોજ સવારે મોર્નિંગ વોક કરવા માટે તળાવની પાળ પર આવે છે તે માત્ર મોર્નિંગ વોક માટે સવારે 6 થી 9 વાગ્યા સુધી ખુલ્લું રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે.