Mysamachar.in:જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર રામપર ગામ નજીક આજે સવારે એક ખેડૂતની વીજપોલમાં લટકતી લાશ મળી આવતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા, અને આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને નીચે ઉતારી અને પોસ્ટમોટમ માટે રવાના કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ખેતીકામ સાથે સંકળાયેલો છે, અને જામનગર નજીકના મોટી બાણુંગાર ગામનો વતની હેમાંશુ ભેંસદડિયા હોવાનું અને તેની ઉમર ૨૯ વર્ષની હોવા સાથે તેના લગ્નના થવાને કારણે અંતિમ પગલું ભર્યાનું પીએસઆઈ ચુડાસમાએ જણાવ્યું હતું.છતાં પણ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.