Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, અને એક બાદ એક ગુન્હાઓ સામે આવી રહ્યા છે, એવામાં બે દિવસ પૂર્વે ધ્રોલ વિસ્તારમાં બે નરાધમો દ્વારા પોતાના પતિ સાથે જઈ રહેલી એક પરિણીતાને ઝાળીઝાંખરા જેવા વિસ્તારમાં લઇ જઈ બે નરાધમો એ દુષ્કર્મ આચર્યાની ઘટનાના ઘ્રોલ પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, એવામાં આજે ધ્રોલ સર્વ સમાજે આ ઘટનાને વખોડી કાઢી અને ઝડપાયેલા બન્ને આરોપીઓને સખ્ત સજા થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે અડધા દિવસનું સ્વૈચ્છીક સજ્જડ બંધ રાખી અને વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, આજે અડધો દીવસ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો.