Mysamachar.in-જામનગર
જામનગર શહેરમા તો ઢોરના ત્રાસએ માઝા મુકી છે તેવો જ ત્રાસ હાઇવે પર પણ છે માટે તે અંગે સવાલ ઉઠ્યો હતો જો કે આ જવાબદારી એલ. એન્ડ ટી. છે તેમ તંત્રએ જણાવ્યુ છે, રાજકોટ-જામનગર-વાડીનાર સ્ટેટ હાઇવે નં 25 ઉપર ધમધમતા વાહનના ટ્રાફીકને વારંવાર ઢોર નડે છે આમ તો બકરી કુતરા થી માંડી બળદ ગાય ભેંસ ઘેટા ભુંડ સહિતના પશુ અને રાત્રે તો કંઇ કંઇ જાતના ચિત્ર વિચિત્ર પશુઓ રોડ ઉપર આવી ચડે છે અને ઘણી વખત તો નાના મોટા અકસ્માત થાય છે આવા અકસ્માતથી સદનસીબે જાનહાની કે ઇજાઓ ન થાય તો પણ વાહન મા કેવી નુકસાની થાય અને અંતરિયાળ કેવી હેરાન ગતિ થાય તે તો અકસ્માતનો ભોગ બનેલા ને જ ખ્યાલ આવે…. જો કે તંત્રના જણાવ્યા મુજબ મે. એલ.એન્ડ ટી. રાજકોટ વાડીનાર ટોલ વે લી. દ્વારા બી.ઓ.ટી.ના ધોરણે સંચાલન કરતુ હોય રસ્તા ઉપરના ઢોર બાબતે પેટ્રોલીંગ વાહનો દ્વારા કાળજી રાખી વાહન ચાલકોના હિતમા રોડ પરથી ઢોર ખસેડવા કે ખસેડાવા જોઇએ આ જવાબદારી તેઓની છે.