Mysamachar.in-જામનગર
કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિયંત્રણો લાદવામાં આવ્યા છે, અને જેમાં ચોક્કસ સંસ્થાઓમાં 50% થી વધુ સ્ટાફ રાખવાનો ના હોય છતાં જામનગર શહેરમાં આવેલ કેટલીક બ્નેકો બેંકો સહિતના સ્થળોએ જાહેરનામાં ભંગ થઇ રહ્યાનું સામે આવતા પોલીસે જાહેરનામાં ભંગના ગુન્હાઓ નોંધ્યા છે, રાષ્ટ્રીયકૃત બેંકો તથા પાનની દુકાન, ચા ની હોટલ, ઠંડા પીણાની દુકાન તથા વાહનો ઉપર જાહેરનામા ભંગ અંગના -22 કેસો જામનગર એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફલો સ્કોડ ની ટીમ દ્વારા કરવામાં આવ્યા છે,
જેમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં 50% કરતા વધુ સ્ટાફ હાજર રાખેલ હોય જેથી જોગર્સપાર્ક પાસે આવેલ રાષ્ટ્રીયકૃત બેંકો પૈકી બંધન બેન્ક, ફેડરલ બેન્ક, ડીસીબી બેન્ક, સીટી યુનિયન બેન્કના મેનેજર વિરૂધ્ધ જાહેરનામા ભંગના અલગ અલગ 04 કેસો કરવામાં આવેલ છે, તો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પરિવહન ક્ષમતાના 50% કરતા વધુ પેસેંજરો બેસાડી જાહેરનામા ભંગ કરનાર વાહન ચાલક વિરૂધ્ધ જાહેરનામા ભંગના 5 કેસો કરવામાં આવેલ છે. અને પાનની દુકાન, ચાની દુકાન-હોટલ, વાણંદની દુકાનો, ઠંડા પીણાની દુકાનો, ખાણીપીણીની દુકાનો, રેકડી તથા માસ્ક પહેરેલ વગરના જાહેરનામા ભંગના કરનાર ઇસમો વિરૂધ્ધ 13 કેસો કરવામા આવેલ છે.