Mysamachar.in-જામનગર:
લાંબા સમય બાદ જામનગર જીલ્લામાં વધુ એક વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, ફરીયાદી કેશુરભાઇ કરશનભાઇ ગોજીયા જેવો હાલ નિવૃત છે તેમની માલીકીની ખેતીવાડીની જમીન લાલપુર તાલુકાના નાંદુરી ગામે ખેતીવાડીની જમીન જેના ખાતાનં 370 તથા જેના સર્વે નં 332 જુના સર્વે નં 413/પૈકી2 હે -1-38-63 વાળી જમીન આરોપીઓ પ્રકાશ કાનાભાઈ કરંગીયા અને પરીક્ષિત કાનાભાઈ કરંગીયાએ જુન 2011 થી ગેરકાયદેસર કબ્જો કરી તેમા પાણી માટેનો બોર કરી તથા તેમા મકાન બનાવી જમીન પચાવી પાડી હાલ કબ્જો ચાલુ રાખેલ ત્યારે ફરીયાદી અવાર નવાર ઉપરોકત સર્વે નંબરની જમીન ખેડવા જતા હોય ત્યારે આ આરોપીઓ…
જમીન ખેડવા દિધેલ નહી અને જમીનમા પગ મુક્યો તો જીવતા નહી રહો તેમ અવાર નવાર ફરીયાદીને ધમકીઓ આપતા હોય અને જમીન ખાલી કરતા ન હોય ગઇ તા 5/7/2021ના રોજ ફરીયાદી તથા તેના પુત્ર વજશીભાઇ જમીન ખેડવા જતા આરોપીઓએ ધારીયા લઇ ફરી તથા સાહેદની પાછળ આવી ફરીયાદીને કહેલ કે આ જમીન અમારી છે તમે અહીથી ચાલ્યા જાવ નહિતર આ ધારીયા તમારા સગા નહી થાય અહીજ તમને પતાવી દેસુ જો વાડીની બહાર નહી નીકળાતો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને જમીન પર ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદીએ જીલ્લા કલેકટર જામનગરને સંબોધીને જમીન ખાલી કરાવવા બાબત અરજી કરતા લેન્ડ ગ્રેબીંગ સમીતી જામનગરનાઓએ અરજી તપાસ કરી પુરાવા એકત્રીત કરી જીલ્લા કલેકટર કચેરીના હુકમ અને પોલીસ અધિક્ષકએ ફરીયાદ દાખલ કરાવવા નીયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરેલ હોય જે આધારે જામનગર જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ સામે આવી છે.