Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાના મોટીખાવડીમાં 2017ની સાલમાં 5 વર્ષના માસૂમ બાળકની હત્યા નિપજાવી જમીનમાં દાટી દેવાના પ્રકરણમાં આરોપીને તકસીરવાન ઠેરવી જામનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે જામનગર જિલ્લાના મોટીખાવડીમાં રહેતા મજૂર બિહારના વતની મનોજકુમાર શકલદેવના પાંચ વર્ષના પુત્ર અમરજીતની 2017માં તેના પાડોશમાં રહેતો શિવનાથ રમાકાંતે બાળકને ઘરમાંથી આઇસ્ક્રીમ ખાવાના બહાને ઉઠાવી જઇ મોઢે ડૂમો દઈ હત્યા નિપજાવી હતી અને બાજુમાં આવેલા વોકળામાં ખાડો કરીને મૃતદેહને દાટી દીધો હતો.
આ હત્યા પ્રકરણમાં મેઘપર પોલીસે શીવનાથની ધરપકડ કરી પૂછપરછમાં શિવનાથ તેની બાજુમાં રહેતા મનોજકુમારની પત્ની સુશીલાદેવી મહિને 2700 રૂપિયામાં મેસ ચલાવે છે ત્યાં આરોપી જમવા માટે આવતો હતો. જેના બે મહિનાના રૂપિયા બાકી હતા. જે પૈસાની વારંવાર માંગણી કરતા હતા, પરંતુ શિવનાથ પૈસા આપતો ન હતો. તેમજ ઉઘરાણીથી ગુસ્સે ભરાયેલા શિવનાથે બદલો લેવાના ભાવથી મનોજકુમારના પુત્ર અમરજીત 5 વર્ષ, અને તેનાથી નાનો ભાઈ સત્યમ 3 વર્ષ આ બન્ને 31.5.2017 ના રોજ તેના ઘર પાસે રમતા હતા ત્યારે શિવનાથે આઇસક્રીમ ખવડાવવા ના બહાને બંને બાળકોને પોતાની સાથે લઈ ગયો હતો અને સત્યમને છોડી દઇ અમરજીતને પોતાની સાથે લઈ ગયો હતો ત્યારબાદ અમરજીતને મોઢે ડુમો દઇ હત્યા નિપજાવી બાજુમાં રહેલા વોકળામાં બાળકના મૃતદેહને દાટી દીધો હતો. જે બાદ પોલીસની તાપ્સને તપાસને અંતે શિવાનાથની ધરપકડ બાદ બાળકના મૃતદેહને કાઢી આપ્યો હતા.
આ કેસ જામનગરની અદાલત ચાલી જતાં સરકારી વકિલ હેમેંન્દ્ર ડી. મહેતા દ્વારા ધારદાર અને વિસ્તૃત દલીલો અને પંચોના નિવેદનો તથા મૃતકના નાનાભાઈ એવા બાળકની જુબાની તેમજ આરોપીનાશરીરમાથી મળી આવેલી માટી અને સ્થળની માટી વગેરે સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને હત્યા કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તથા અપહરણના ગુનામાં 10 વર્ષની કેદની સજા, પુરાવાનો નાશ કરવાના ગુનામાં પાંચ વર્ષની સજા, તથા રૂપિયા 17 હજારનો દંડ ફટકાર્યો છે.