Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુરના સમાણા રડારથી આગળ કોઝવેમાં આજે વહેલી સવારે એક કાર પાણીના વહેણમાં તણાઈ જતા કારમાં સવાર દંપતીનું મોત નિપજયાના મામલાને જામજોધપુર મામલતદારે સમર્થન આપ્યું છે, મળતી વિગતો મુજબ કુતિયાણાના ખાગેસરી ગામના પટેલ દંપતી પુત્રી ના પ્રસંગની ખરીદી માટે રાજકોટ જઇ રહ્યું હતું તે દરમિયાન આજે સવારે જે કારમાં બન્ને દંપતી સવાર હતી તે પાણીમાં ગરકાવ થઇ જતા રમેશભાઈ નારણભાઇ અઘેરા અને તેમના પત્ની મનીષાબેન રમેશભાઈ અઘેરાનું મોત નીપજ્યું છે.