Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના નગરસેવકોને વર્ષની 10 લાખની ગ્રાંટ આમ તો ઓછી કહેવાય પરંતુ દર વર્ષે તમામ 64 કોર્પોરેટરોની ગ્રાંટનો ટોટલ કરીએ તો ઓછામા ઓછી 640 લાખ તો ગણાય જ ને માટે તમામનુ એકજ ધ્યેય હોય કે આપણે સૌએ પ્રજાલક્ષી જે કામો જરૂરી છે તે સામુહીક કરાવી તેમા ગ્રાંટનો સદઉપયોગ કરવા પ્લાનીંગ જરૂરિયાત અને પ્રાથમીકતાને અગ્રતા અપાય હોય તો ઘણુ થઇ શક્યુ હોત પરંતુ સો ટકા એવુ નથી થાતુ અમુક જુજ કિસ્સામા મામકા વાદ ચાલે છે માટે ખેંચતાણમા ઘણીવાર વિકાસ કામને નુકસાન પણ થાય છે,
બીજી તરફ મોટી યોજનાઓ માટે તો સરકારમાથી અલગથી ગ્રાંટ આવતી હોય છે, માટે પ્લાનીંગ અને સંકલનથી પ્રતિનિધીઓ ધારે તો ઘટતી પાયાની સગવડ પોતાના વિસ્તારોમા કરાવી શક્યા હોત.. બીજો સારો વિકલ્પ એ પણ હતો કે વોર્ડના ચારેય કોર્પોરેટરો મળી તે વોર્ડના મહત્વના કામ સૌની સાથે ગ્રાંટ ફાળવી કરાવી શકે પરંતુ મોટા ભાગે એવુ ન થયુ હા નોંધપાત્ર રીતે કેવુ પડે કે ચાર થી પાંચ વોર્ડોમા એવુ થયુ કે તમામ ચાર-ચાર કોર્પોરેટરોએ એક સાથે જ રોગચાળા સામેના પગલા માટે કે ડ્રેનેજ માટે કે પ્રાર્થના હોલ માટે કે ડસ્ટબીન માટે એવા જુદા-જુદા કામો અને સુવિધા માટે સંકલન દર્શાવ્યુ છે પરંતુ સમગ્ર શહેરમા આવુ ન થઇ શક્યુ તેમ સર્વે કહે છે,
ઘણી વખત ગ્રાંટ વાપરવા ખાતર અને કામ થાય તેવુ લાગે માટે પણ ફાળવાતી હોય છે તેના બદલે ગ્રાંટના સદઉપયોગ જરૂરી છે વેડફાટ ન થાય તે જોવુ જોઇએ બાદમા જે તે કામ મંજુર કરાવ્યા હોય તે કામ ઉપર નગરસેવકોએ હાજર રહેવુ જોઇએ ક્વોલીટી જોવી જોઇએ પરંતુ દરેક કિસ્સામા જામનગરમા તેવુ ન થયાના રિવ્યુ મળે છે, અમુક વિસ્તારોના નાગરીકોનો એવો પણ અભિપ્રાય મળ્યો કે લોકોના રિવ્યુ લેવા જોઇએ તે મુજબ ના જ કામ માટે નાણા ફાળવવા કે કામ મંજુર કરાવાય ત્યારે સરવૈયુ કાઢતા ઘણી વખત એવુ બન્યુ છે કે લોકોને વધુ જરૂરી હતા તે કામ રહી ગયા કાંતો મોડા થયા કાંતો હવે થશે અથવા તો સાવ રહી ગયા છે અમુક નાગરીકો તો કટાક્ષમા એવુ પણ કહેતા સાંભળવા મળ્યા કે માત્ર મનપસંદ ગલી શેરી વિસ્તારમા સુવિધા કરાવ્યા જ ન રખાય સમગ્ર વોર્ડને મહત્વ આપવુ જોઇએ ત્યારે આવુ સરવૈયુ સમીક્ષાજનક બની રહ્યુ છે.