Mysamachar.in-જામનગર;
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો અસહ્ય ત્રાસ છે અને આ મામલો હાલ એટલા માટે સળગી રહ્યો છે કે કારણ કે વોર્ડ નંબર 9 ના બે અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં રસ્તા પર રઝળતા પશુએ અડફેટ લેતા એક વૃદ્ધનું મોત થયું છે જયારે અન્ય એક વૃદ્ધે પોતાની એક આંખ ગુમાવી છે અને શરીરમાં અન્ય ગંભીર ઈજાઓ થઇ છે, એવામાં જેની પ્રાથમિક આ જવાબદારી છે તે જામનગર મનપાનું તંત્ર માત્ર નાટકીય કાર્યવાહી આવા બનાવો બને ત્યારે કરવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરતુ નથી, ઉપરથી નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણી પોતાના વિભાગ પાસે લેવી જોઈતી કાર્યવાહી અને સભ્યોની આવતી રજુઆતોને યોગ્ય ન્યાય આપવાને બદલે વાહિયાત નિવેદનો આપી અને બચાવની ભૂમિકા ઉભી કરી રહ્યા છે,
થોડા સમય પૂર્વે એક ગાયએ ચૌહાણફળી વિસ્તારમાં એક મહિલાને અડફેટ લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેના ચોકાવનારા સીસીટીવી સામે આવ્યા બાદમાં આ જ નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણીએ “આ ગાય જામનગર બહારની હોવાનું નિવેદન આપ્યું હતું,” હવે આ ગાય બહારની છે કે જામનગર શહેર કે જીલ્લાની તેનું પાસીંગ તો વાહનોની જેમ હોતું નથી છતાં પણ નાયબ કમિશનરે આવો ગપગોળો ઝીંક્યો હતો,
ત્યાં જ વધુ એક વખત વાણીયાવાડ વિસ્તારમાં પરમ દિવસે એક વૃદ્ધ જયારે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે તેવોએ રસ્તે રઝળતી કોઈની માલિકીની અથવા તો માલિકી વગરની ગાયએ એવા તો આ વૃદ્ધને અડફેટ લીધા કે તેનું મોત નીપજ્યું, આ ઘટના બાદ પણ એ.કે.વસ્તાણીએ આ ગાયને હળકવો હોવાનું નિવેદન જુઠાણું હોવાનું આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર નીલેશ કગથરાએ ખુલ્લું પાડી દીધું છે.
આજે ભાજપના કોર્પોરેટર નીલેશ કગથરા જામનગર મનપાના પશુ તબીબ ગોધાણીને સાથે લઈને બેડેશ્વર ઢોર ડબ્બા ખાતે જ્યાં આ ગાયને રાખવામાં આવી છે ત્યાં પહોચ્યા હતા અને તેવોએ તપાસ કરતા નીલેશ કગથરા અને પશુ તબીબી બન્નેએ મીડિયા સમક્ષ એવું નિવેદન કર્યું છે જે ગાયને હડકવા હોવાનું નાયબ કમિશનરે નિવેદન આપ્યું છે તે ગાયને આવો કોઈ જ હડકવા નથી.આમ નાયબ કમિશ્નર ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ અને મીડીયાને ગેરમાર્ગે દોરનાર નિવેદન આપતા હોવાનો આક્ષેપ નીલેશ કગથરાએ આજે કર્યો છે.અને નાયબ કમિશ્નર વસ્તાણીના જુઠાણા ખુલ્લા પાડી દીધા છે.