Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનનો એલઇડી પ્રોજેક્ટ ફેલ ગયાનુ ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે, કેમકે ધગધગતો અલગથી રિપોર્ટ ઓડીટે આ બાબતે કર્યો છે જે ખાનગી રિપોર્ટમા અમુક સ્ફોટક વિગત હોવાનુ મનાય છે, અગાઉ કમીશનર હર્ષદ પટેલ અને સીટી એન્જીનિયરની જહેમતથી આ પ્રોજેક્ટને એવોર્ડ મળેલો હતો પરંતુ બાદમા આ પ્રોજેક્ટના બે વર્ષથી જવાબદાર અધીકારીઓ બદલાયા પછી શુ થયુ કે પ્રોજેક્ટ થી ફાયદો થવાને બદલે નુકસાન થયુ છે તેવુ ઓડીટ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે,
તો બીજી તરફ ડેપ્યુટી ઇજનેરે કંપની પાસેથી 29 હજારથી વધુ લાઇટ ખરીદી લેવા પદાધિકારીને કેવી રીતે વિશ્વવાસમાં લઇ લીધા ખાસ તો ડે.એન્જી. મહેતાએ એવુ સમજાવ્યુ કે કોર્પોરેશનને ફાયદો થશે માટે આ એજન્ડા લાવ્યા છીએ.પરંતુ ઓડીટ રિપોર્ટ પરથી તો એલઇડી મામલે ગંભીર ક્ષતી બહાર આવે છે જોકે ઓડીટ રિપોર્ટ ના મેમા બાબતે તાત્કાલીક જવાબ સ્ટેન્ડીંગ ચેરમેને ઠરાવ કરી માંગ્યો જ છે. જેમા છેવટનો રીપોર્ટનો પણ સામાવેશ થશે,
આ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે વર્ષે કરોડમા કોર્પોરેશનને ફાયદો થશે તેમ દર્શાવાયેલુ પરંતુ નગરમા તો અંધારાના ઓળા છે, અને અનેક રોડ વિસ્તાર લોકેશન અંધારાવાળા એમને એમ છે. ત્યા આ લાઇટો નખાઇ નથી અને બળુકાઓના તો ફળીયા શેરીઓમા બબ્બે લાઇટો નંખાઇ છે, આવી અનેક બાબતોને સમર્થન મળતુ હોય તેમ ઓડીટે પુછ્યુ છે કે ખરેખર આ પ્રોજેક્ટથી ફાયદો શુ થયો? એનર્જી કે લાઇટબીલમા બચત થઇ છે.? તો જવાબ રજુ કરો
-ઇસ્માર્ટ એનર્જી સોલ્યુશન પ્રા.લી. પાસેથી રીકવરી કરો
એલઇડી પ્રોજેક્ટ કરાર શરતો મુજબ ન થયો હોઇ ઓડીટે લાઇટ શાખાને તાકીદ કરી ઇ સ્માર્ટ એનર્જી સોલ્યુશન પ્રા.લી. પાસેથી રિકવરી કરવા તાકીદ કરી છે તેમજ 2.80 કરોડના બીલની સ્પષ્ટતા અને પુર્તતા માંગી છે વીજબીલની વિગત માંગી છે.