Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનુ બાંધકામ વિભાગ સાવ ખાડે ગયુ હોય તેમ ગ્રામ્ય આંતરિક માર્ગો પુલીયા વગેરેની હાલત કફોડી છે, ઉપરથી કોઇ કામ થાય તો તે ટકતા નથી તે બાબતે ચેક કરવા માટે કોઈ ધણી ધોરી નથી અને ટુટેલા રોડ કે નબળા કામો અંગે સાંભળનાર પણ કોઇ નથી, આવા અનેક દાખલાઓમાંથી અમુક જોઇએ તો લાલપુરના ભણગોર હાઇસ્કુલ પાસેનો રોડ દસ દિમા ઉખડી ગયેલ છે, આ સીસીરોડ જે નવો છે તેના માટે એવો જવાબ તંત્ર દ્વારા અપાયેલો કે તુટેલા ભાગને રિપેર કરવા મટીરિયલ મોકલ્યુ છે માટે રિપેર થઇ જશે તો પહેલા મટીરિયલ નહોતુ મોકલ્યુ?? તે પ્રશ્ર્ન સાથે રોડ શેનો બન્યો તે પણ સવાલ છે.
બીજી એક સ્થિતિ એવી છે એક વર્ષથી દબાણ ખેતીની જમીનથી લાલપુર તાલુકાના સિદ્ધેશ્ર્વર મહાદેવ રોડ ના કામ થઇ શકતા નથી દરમ્યાન દબાણ એક વર્ષથી થયેલુ છે તેવી તો લાલપુર તાલુકામા અનેક જગ્યાએ છે તેથી કામ થતા નથી છતા રોડને લગત દબાણ પંચાયત બાંધકામ દૂર કરતુ નથી આવી તો અનેક બેદ્ર્કારીઓ છે, સ્થિતિ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ આવી જ જ્યાં ચારેય તાલુકામાં તૂટલાં ફૂટલાં રોડ નાલા પુલિયાની ખખડધઝ સ્થિતિ સામે તંત્ર શું ફીફા ખાંડે છે તેવો સવાલ પણ લોકોને થાય છે.