Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારના બંને જિલ્લાઓ અનેતાલુકાઓમા હોટલ રેસ્ટોરન્ટ સહિત ખાદ્યચીજ તેમજ પીણાના વેંચાણ તેના ઉત્પાદન સ્થળોનીસતત તપાસ જરૂરી છે, વળી આશ્ચર્યકારક રીતે હાઇવે પરના ધાબાઓમા તો નિયમિત ચેકીંગ થતા હોય તેવુ તો ક્યારેય જાહેર થયુનથી, જેની જવાબદારી સ્ટેટ ફૂડ વિભાગની છે પણ તે વિભાગ શું અને કેવી નક્કર કામગીરીકરે છે તે ક્યારેય ખરું ચિત્ર સામે આવતું જ નથી, માત્ર વાર તહેવારના દરોડા એ તોમાત્ર ખેલ હોય છે જેમાથી જુજ કેસને બાદ કરતા કોઇની સામે ઠોસ પગલા લેવાતાજ નથી તેમ જાણકારો કહે છે, હોટલ-રેસ્ટોરન્ટસમાંપીરસાતા ખાધ સામગ્રીઓ આરોગ્યપ્રદ છે કે, નહીં તેની ચકાસણી ચોમાસાનાદિવસો દરમિયાન કરવા સરકારે તો આદેશ કર્યો જ છે. જુદા-જુદા શહેરમાં તેમજ હાઇ-વે પરઆવેલી હોટલો દ્વારા લાયસન્સ રીન્યુઅલ અને તેની શરતોનું પાલન કરવામાં આવતું નહીંહોવાની ફરિયાદો તેમજ જમીનને બીનખેતીમાં રૂપાંતર કરાવ્યા વિના હોટલ-રેસ્ટોરન્ટ શરૂકરી દેવાની પ્રવૃત્તિ સામે પણ હવે જિલ્લાઓના તંત્ર દ્વારા કાયમી આ કાર્યવાહી કરવાનો સમય પાકીગયો છે.
જોકે આ બાબતે સરકારના તો હુકમો તો છે જ. હોટલ અને રેસ્ટોરન્ટોનાપરવાના તેમજ અન્ય બાબતોની સઘન ચકાસણી કરવાના આદેશ સરકારે કર્યા છે. તેમજ રાજ્યમાંહાઇ-વે પર આવેલી ગાર્ડન હોટલો અને રેસ્ટોરન્ટોમાં આકસ્મિક ચેકીંગ કરી પરવાનારીન્યુ કરવા તથા અન્ય શરતોનું પાલન થાય છે કે, નહીં મુસાફરોના રજીસ્ટરનીનિભાવણી થાય છે કે, નહીં તેની તપાસ પણ લાગત વિભાગો દ્વારા થાય છે કે કેમ તે પણ શંકા ઉપજાવનારં છે,તંત્ર દ્વારા ઉપરોકત બાબતોની જીણવટભરી તપાસ કરી તેનો અહેવાલ આપવા પણ કહેવાયું છે.ચોમાસામાં ગંદકીના પગલે ફેલાતા પાણીજન્ય રોગચાળા સામે અટકાયતી પગલા ભરવાના ભાગરૂપેસમગ્ર જિલ્લાઓમાં આવેલી હોટલો તેમજ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવતી ખાધ સામગ્રીઆરોગયપ્રદ છે કે, નહીં તેની ચકાસણી કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને સાથે રાખી તપાસકરવા સરકાર દ્વારા આદેશ કરાયા છે.