Mysamachar.in-જામનગર:
આ વર્ષ જામનગર જીલ્લામાં અતિવૃષ્ટિ થઇ અને કેટલાય ગામોમાં ખેતીના પાકો જ નહિ પરંતુ ખેતરો ધોવાઈ ગયા..ત્યારે જામનગર જિલ્લા અને કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવા ઉપરાંત મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની અમલવારી કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે. સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. તેવી માંગ જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણ કુંભારવાડિયા સહિતના કોંગી આગેવાનો દ્વારા આવેદનપત્ર આપતી વેળાએ કરવામાં આવી છે.