Mysamachar.in-જામનગર
ગુજરાત વિધાનસભાની આ વખતની ચુંટણીમા અમુક-અમુક જગ્યાએ કોઇ અકળ અને રહસ્યમય કારણોથી કોંગ્રેસ સંગઠન નિષ્ક્રીય અને નિરસ રહેતુ હોવાની ચર્ચા થાય છે, તેવુ જ જામનગર શહેર કોંગ્રેસ સંગઠન માટે કહેવાય છે અને જાણકારોના મતે કોંગ્રેસ જામનગરમા વેર વિખેર છે અને જાણે કે ચૂંટણી જેવું કાઈ લાગતું જ નથી અને કોને ખબર કેમ કોંગ્રેસના હોદેદારો કાર્યકર્તાઓ આગેવાનો સૌ પોત પોતાનામાં જ વ્યસ્ત છે અને પાર્ટી સંગઠન માટે જાણે કઇ ફીકર જ નથી તેવી વરવી હાલત સૌ એ બનાવી છે, (હા ફરજીયાત ઉપર દેખાડવા પુરતું કરવું પડે તે કરે છે તેમાં ના નહિ)
એવામાં હાલ તો જો એક બેઠક પુરતુ જોઇએ તો 79-જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર મનોજ કથીરીયાને લોકોનો જાકારો મળી રહ્યાની ચર્ચા થાય છે, કેમ કે તેમને કોઈ ઓળખતું નથી એક તરફ એવા સાવ જાણીતા જ નથી તેવાને કોંગ્રેસે મેદાને ઉતર્યા ઉપરથી પક્ષનો સહકાર નથી મળતો માટે આ ઉમેદવાર અત્યારે તો કેટલા મત મળશે તે ચિંતામા છે ત્યારે એમ પણ કહેવાય છે કે 79-જામનગર દક્ષીણના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથીરિયાની ડીપોઝીટ પણ ડુલ થશે..?
કોઈ ના લડે એટલે પાર્ટી ગમે તેવા ઉમેદવાર થોપી દે તો પણ બાદમા સક્રિય થઇ જવુ જોઇએ પરંતુ આ ઉમેદવાર કોઇને મગજમા બેસતા નથી માટે એક તો કોંગ્રેસીઓ આંતરીક નારાજગી દર્શાવવા નિષ્ક્રીય હોઇ મનોજ કથીરીયાને થોડા ઘણા મત મળે તેમ છે કે નહી તે પણ કહી શકાતુ નથી તો બીજી તરફ પ્રજા આ ઉમેદવારને ઓળખતી પણ નથી તો મત ક્યાથી આપશે? કેટલીક જગ્યાએ તો આ ઉમેદવાર એકલ દોકલ પ્રચારમાં જાય ત્યારે લોકો દરવાજા બંધ કરતા પણ દ્રશ્યોમાં કેદ થયા છે આમ અથડાતા કુટાતા કથીરીયા બહાર તો નીકળે છે ચક્કર મારે ને નિરાશ થઇ બેસી જાય છે,.
79- જામનગર દક્ષીણ જેવી મહત્વની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કથીરીયાને લોકસંપર્કમાં લોકો મળતા જ નથી એ તો ઠીક પણ સાથે સંગઠનના કાર્યકરો ન હોઇ ક્યાય સમર્થકો પણ દેખાતા નથી એટલે મનીષ કથીરીયા એકલા વળી કોક વાર નીકળે તો ય રીટર્ન થય જાય છે ટુંકમા પ્રચારમા કઇ જામતુ નથી પક્ષ સહકાર ન આપે તો આવુ જ થાય ને? તેમ રાજકીય વિશ્લેષકો કહી ઉમેરે છે કે ચુંટણીમા ગમે તેટલા મોટા નેતા હોય તો ય તેમણે સતત પ્રચાર કરવા લોકો પાસે જવુ જ પડે ત્યારે આ તો વિધાનસભાની મહત્વની ચુંટણી છે તેમા આવી હાલત અત્યારથી જ હોય તે પરીણામની નિષ્ફળતા દર્શાવે છે,.
કેમકે એક તો નબળા ઉમેદવાર ઉપરથી કઇક કારણસર નિષ્ક્રીય જામનગર શહેર કોંગ્રેસ સંગઠન….બધુ ભેગુ થતા હવે આ બેઠક માટે કોંગ્રેસને કોઇ ચાન્સ ન હોય તેવુ હાલ તો ચિત્ર હોવાની ચર્ચા હોવાનુ વિશ્લેષકોએ ઉમેર્યુ છે તેમજ એક તરફ 125 બેઠક જીતવાની કોંગ્રેસ ઉચ્ચ સમિતિ વાતો કરે છે ને બીજી તરફ જામનગર શહેર સંગઠનની સાવ નિષ્ક્રીયતાને જોતા પક્ષમા જ આંતરીક સંકલન નથી સુઝ નથી કોઇ ઉત્સાહ નથી…! કે પછી દાવેદારો બીજા હતા ને પસંદગી બીજાની થઇ તે બાબતથી સંગઠન નિષ્ક્રીય છે? સહેજે સવાલ થાય જ ને?
ખરેખર પ્રચાર પ્રસાર માટે અસરકારક રસ્તો અખત્યાર કરવો પડે પહેલા માહોલ બનાવવો પડે અને પ્રજાને કોઇ દિવસ કામ આવ્યા હોઇએ તો લોકો વચ્ચે જવાય નહી તો ચુંટણીએ પણ ધારાસભા લડવા હાલી ન નીકળાય તેવો આક્રોશ કોંગ્રેસ સંગઠનના અમુક વર્તુળો વ્યક્ત કરતા સાંભળવા મળે છે હવે જો પક્ષમા જ આવો અભિપ્રાય છે તે સૌ પબ્લીક જાણી લે એટલે પુરૂ થઇ જાય અને જાકારો જ મળે તેમ અભિપ્રાય આપનારા ટીકા કરતા જણાવે છે, ઉપરાંત પ્રચારના મુદા પણ મનોજ કથીરીયા પાસે નથી તેને અનુભવ નથી અને અભરખો છે માટે તિરસ્કાર વધુ મળે છે તેમ પણ સમીક્ષકો કહે છે તેમજ ભાઇ પોતે એકલ દોકલ રીતે પોતાની છબી મોટી ચિતરાવવા મથે છે પરંતુ ઠોસ પ્રચાર ન થાય વધુ મા વધુ લોકો.સુધી ન પહોંચે તો ઉમેદવાર ને લોકો રિસ્પોન્સ ન જ આપે તે સ્વાભાવિક છે,.
એક તરફ શહેર કોંગ્રેસ પક્ષ આ વિધાનસભા ચુંટણીમા અનેક કારણોસર તદન નિષ્ક્રીય છે ઉપરથી ઉમેદવાર જરાપણ જાણીતા નથી તો લોકો શુ અપેક્ષા રાખે? આવા સંજોગોમા ચુંટણી માટે ખરેખર વિચારાય જ નહી તેવી સલાહ રાજકીય વિશ્લેષકોની છે આમ 79 જામનગર બેઠકમા તો જનસંપર્કમા ખુબ ખરાબ અને નબળો પ્રતિસાદ છે તે આંતરીક જુથબંધીને સંગઠનનો અભાવ દર્શાવતુ હોય સાથે સાથે ઉમેદવાર લોકોને ગમતા જ નથી તેમ દર્શાવે છે માટે હાલ તો તારણ નીકળે છે ખુબજ નબળુ અને ખરાબ ચિત્ર મનોજ કથીરીયાનુ છે અને ભાજપના દિવ્યેશ અકબરી લીડના તમામ રેકોર્ડ તોડશે તેમ તારણ નીકળે છે.