Mysamachar.in-જામનગર
જામનગરનું પુરવઠા તંત્ર લોકહિતમાં લેવા જોઈતા પગલાઓ લેવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે, લાંબા સમયથી પુરવઠા વિભાગ અને તેના સ્ટાફની નીતિરીતીની મોટાપાયે અને તથ્યો સાથેની ફરિયાદો ઉઠી છે, અને આ ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ પહોચી હોવાનું સુત્રો જણાવે છે, એવામાં જામનગર શહેરની જેમ જ જિલ્લાના ગામોમા પણ સસ્તા અનાજની દુકાનવાળાઓ ગરીબોને માલ બાબતે પજવતા હોવાની અનેક ફરિયાદો અંગે mysamachar.in એ ગેરરિતિ ઉજાગર કરી છે તેને સમર્થન જિલ્લામાથી મળી રહ્યુ હોય અનેક કૌભાડો થતા હોવાથી ચકચાર મચી છે, જીલ્લાના જામજોધપુર, લાલપુર, અને ધ્રોલમાંથી પણ સસ્તા અનાજના દુકાનદારો પોતાની મનમાની ચલાવી રહ્યાના આક્ષેપો સાથે ફરિયાદો ઉઠી છે,
ત્યારે પુરવઠા તંત્રનું જે રીતે શહેરી વિસ્તારમાં ચોક્કસ ગોઠવણ સાથે મૌન છે તે જ મૌન ગ્રામીણ વિસ્તારોમાં પણ યથાવત રહેશે કે તપાસ થશે તે સવાલ જાણકારો કરી રહ્યા છે. જામનગર જિલ્લા પુરવઠા વિભાગમાં જીલ્લા પુરવઠા અધિકારી કે પુરવઠા ઇન્સપેક્ટરઓએ અનેક અકળ કારણોસર સસ્તા અનાજની દુકાનો સામે લાજ કાઢી છે જેથી શહેરની જેમ જ જીલ્લાના કેટલાય સસ્તા અનાજના દુકાનદારો ફૂલ્યા ફાલ્યા છે અને રાશનકાર્ડ ધારકો જયારે પોતાના હક્કનો માલ લેવા માટે જાય ત્યારે રીતસરની પોતાની મનમાની ચલાવતા હોવાની બુમરાળ ગ્રામ્ય પંથકમાંથી ઉઠવા પામી છે,
કેટલીક ફરિયાદો જે રીતે સામે આવી રહી છે તે પ્રમાણે નિયમ મુજબ એટલે કે સરકારી યોજના મુજબ રેશનકાર્ડ ધારકોને માલ આપવામાં આવતો નથી, રેશનકાર્ડમાં અધુરી એન્ટ્રીઓ અને ના દેખાય તેવી એન્ટ્રીઓ કરવામાં આવે છે, બીલ તો ક્યાય આપવામાં આવતું જ નથી, અરે ધ્રોલની વાત કરવામાં આવે તો સ્ટેટ પોલીસની ટીમે થોડા સમય પૂર્વે ધ્રોલમાંથી બે સસ્તા અનાજના દુકાનદારોને બોગસ ફિંગરથી અનાજ આપવાના ગુન્હામાં ઉપાડી પણ લીધા હતા, ત્યાં જ હવે ધ્રોલમાં પણ દુકાનદારોની દાદાગીરી વધી રહી છે, એવામાં દેશના વડાપ્રધાને જાહેર કરેલ ફ્રી એટલે કે મફત આપવાનો જથ્થો ગરીબોને પુરતો મળતો નથી દુકાનો ખુલવામા ઠેકાણા નથી અમુક દુકાનદાર ગોડાઉનમાથી માલ લાવતી વખતે બારોબાર સોદા કરે છે જેથી ગરીબોને પુરતો માલ મળતો નથી…. વગેરે આક્ષેપો કરી અમુક લોકોએ કહ્યુ છે કે જામનગર જિલ્લા પુરવઠા અધીકારી સ્ટાફ બધાને આ બાબતની ખબર છે….!?
-લાલપુરમાથી અનેક ફરિયાદો….કોણ લેશે પગલા?
અન્ય તાલુકાઓ જેવું જ લાલપુરમા થી જાણવા મળ્યુ છે જ્યા સસતા અનાજ વોર્ડ વારાના લોકોને હેરાન કરવાના કારસા તેમજ ગેસસીલીન્ડર બાબતે ગેરરિતી ઉપરાંત કેરોસીન બાયોડીઝલ પેટ્રોલ ડિઝલ વગેરે આવશયક પુરવઠા મામલે અનેક ફરિયાદો કૌભાંડો બહાર આવે તેમ છે પણ લગત તંત્ર તપાસ નકરતુ હોવાનુ લોકો કહે છે તે સાંભળવા મળે છે માટે પોલીસ મામલતદાર કે તોલમાપ તંત્ર વગેરે તપાસ કરે તો થાય કેમકે જિલ્લા પુરવઠાવાળા જામનગરમા તપાસ કરવા ચોક્કસ બાંધેલા કારણોથી નથી જતા તો લાલપુર સહિત જિલામા તો ક્યાથી જઈ અને લોકહિતમાં તપાસ કરશે.?