Mysamachar.in-જામનગર
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ આનંદ સોસાયટીમાં ગઈકાલે થયેલ સોના ચાંદીના દાગીનાની મોટી ચોરીએ પોલીસને દોડતા કરી દીધા હતા, જો કે સાંજ સુધી આ ચોરીમાં કેટલો મુદામાલ ગયો તેનો તાળો મેળવવામાં પોલીસ પડી હતી અને આખરે આ મામલે ફરિયાદ નોંધાઈ છે, થયેલ ચોરીનો આંક અડધા કરોડ પરપહોચ્યો છે. આ મકાનમાંથી તસ્કરો એક કિલો ઉપરાંત સોનાના દાગીના અને દોઢ કિલો ચાંદી સહીત રૂપિયા 46.65 લાખના દાગીનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ચોરી પાછળ જાણભેદુ તસ્કરો સંડોવાયેલ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ શરુ કરી છે જામનગરમાં નવાગામ ઘેડ આનદ સોસાયટીમાં રહેતા અને ખાનગી સિક્યોરીટી એજન્સી ધરાવતા આફતાબ મનોવરઅલી શેખના બે માળવાળા મકાન પૈકી નીચે બંધ રહેલ મકાનને તસ્કરોએ શુક્રવારે રાત્રે નિશાન બનાવ્યુ હતું. જ્યાં માળીયાના દરવાજાનુ તાળુ તોડી માળીયા અંદર રાખેલ લાકડાની પેટીનો નકુચો તોડી પેટી અંદર રાખેલ તાળુ તોડી અંદરના રૂમમા માળીયાના દરવાજાનુ તાળુ તોડી માળીયા અંદર રાખેલ લાકડાની પેટીનો નકુચો તોડી પેટી અંદર રાખેલ સોનાના અલગ અલગ દાગીના કુલ વજન-131.3 તોલા જેની 45,95,500તથા ચાંદીના દાગીના કુલ વજન-1.5 કીલો 70,000 મળી સોના-ચાંદીના દાગીના કુલ કિ.રૂ-46,65,500 ચોરી થયાનું સામે આવે છે.આ મામલે પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કેન્દ્રિત કરી અને તસ્કર કોઈ જાણભેદુ કે અન્ય કોઈ તેને શોધવા મથામણ કરી રહી છે.