Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના નાના લખિયા ગામે રહેતા શક્તિસિંહ ચુડાસમા સાથે કિરણબા ના લગ્ન આજથી 11 વર્ષ પૂર્વે થયેલ હતા, અને કિરણબા તેના સાસરિયઓમાં તેના પતિ અને સાસુ સાથે સંયુક્ત પરિવારમાં વસવાટ કરતા હોય તેવામાં છેલ્લા છ વર્ષ જેટલા સમયગાળાથી કિરણબાને તેના પતિ તેમજ સાસુ ઘરકામ બાબતે મેણા ટોણા મારી મારકૂટ કરવા ઉપરાંત ખાવાનુંના આપી અને ત્રાસ ગુજારતા હોય અને અવારનવાર તેના પતિ શક્તિસિંહ તુ મને હવે ગમતી નથી અને હું બીજી કરી લઈશ તેવા શબ્દો કહી અને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોય જેથી કિરણબા થી અંતે સહન ના થતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતક કિરણબા ના પિતા પ્રવીણસિંહ જાડેજાએ મેઘપર પડાણા પોલીસમથકમા જમાઈ શક્તિસિંહ મહોબતસિંહ ચુડાસમા અને સાસુ ધુપતબા મહોબતસંગ ચુડાસમા સામે પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા અંગે કલમ 306 મુજબ ફરિયાદ નોંધાવી છે.