Mysamachar.in-જામનગર
જામનગર સહીત આજે રાજ્યભરમાં આજે ચર્ચાનો વિષય બનેલ જામનગર શહેરના રણજીતસાગરરોડ ઈવાપાર્ક નજીક પોતાના ઘરનું કામ ચાલતું હોય ત્યારે બહાર બેસેલા જયસુખ ઉર્ફે ટીનાભાઈ પર કેટલાક શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવતા તેના મોઢાના ભાગે ગોળી ઘુસી ગઈ હતી, ઘટના બાદ જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો અને આ મામલે વિધિવત સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, તેમાં જેના પર પહેલેથી જ શંકા હતી તે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે જ આ ફાયરીંગ થયાનું ખુલવા પામ્યું છે.
A ડીવીઝન પોલીસ મથકમાં ઈજગ્રસ્ત જ્યસુખભાઈના ભાઈ હસમુખ પેઢડીયાએ IPC કલમ 307, 507, 114, 120(B) તથા આર્મ્સ એકટ કલમ 25(1),(1-B-A) તથા GPA કલમ 135(1) મુજબ જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદી હસુભાઈ અને ઇજા પામનારને આરોપી જયેશ મૂળજીભાઇ રાણપરીયા પટેલ રહે.-જામનગર વાળા સાથે અગાઉ માથાકુટ થયેલ હોય અને સામસામી પોલીસ ફરિયાદ થયેલ હોય તેનો ખાર રાખી તેમજ આજથી એકાદ માસ પહેલા આરોપી જયેશ મૂળજીભાઇ રાણપરીયાએ હસુભાઈને વોટસઅપ કોલ કરી પોતાનું બાંધકામ ચાલતું હોય ત્યાં ન જવા ધમકી આપી હતી જે બાદ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે જયેશ પટેલે અજાણ્યા ઇસમોને મોકલી ટીનાભાઈ પર પિસ્તોલ જેવા અગ્નીશસ્ત્ર વડે ફાયરીંગ જીવલેણ ઇજા કરી ચાર ઇસમો પોતાની મોટરસાઈકલ પર બેસી નાશી ગયા હોવાનો ગુન્હો નોધાવતા પી.આઈ.એમ.જે.જલુએ તપાસ શરુ કરી છે.