Mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર શ્રી રામ ટ્રાન્સપોર્ટની ઓફીસ નજીક એક હપ્તો ભર્યા બાદ હપ્તા નહિ ભરતા ફાયનાન્સ કંપનીના સીઝરોને ટ્રકો સીઝ નહિ કરવા દઈ ભયમાં મૂકી ધાકધમકીઓ આપતા ત્રણ શખ્સો સામે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ કીશોર હમીરભાઈ ગઢવી, મોહીતભાઈ હરીશભાઈ ગઢવી, અશોકભાઈ હરીશભાઈ ગઢવી જે ત્રણેય જામનગર લીમડાલાઈન રાજપુતપરામાં વસવાટ કરે છે
તેને હિન્દુજા લેલન્ડ ફાઇનાન્સમાંથી પુર્વ યોજીતકાવત્રુ રચી કુલ 13 ટ્રકો રીફાઇનાન્સ ઉપર છોડાવેલ હતી અને એક-એક હપ્તો ભર્યા બાદ ફાઇનાન્સ ના હપ્તા ભરેલ નહી જેથી હિન્દુજા ફાઇનાન્સના સીઝરો દ્રારા અવાર-નવાર આ ટ્રકો સીઝ કરવાના પ્રયત્નો કરતા આ લોકો તેઓના માણસો મારફતે ધાક ધમકીઓ આપી ટ્રકો સીઝ થવા દેતા નહી અને ત્યાર બાદ તેઓને સમજાવવાના પ્રયત્નો પણ કરવા છંતા આ શખ્સોએ ટ્રક લોનના હપ્તા ભરેલ નહી કે ટ્રકો સીઝ કરવા દેતા ન હોય.
જેથી કંપનીના અમદાવાદ સ્થિત અધિકારી વિનય ઠક્કર તથા અન્ય કંપનીના કર્મચારીઓ જામનગર રાજકોટ હાઈવે પર આવેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ની ઓફીસ સામે પડેલ ટ્રક સીઝ કરવા જતા તમામ ત્રણેય શખ્સોએ ગાળોભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આરોપી મોહિતભાઇ એ લોખંડની ટોમી લઇ માર મારવા કોશીશ કરેલ અને માર મરવાના તથા જાનથી મારી નાખવાનો ભય બતાવી ફરિયાદીની ફાઈનાન્સ કંપનીના ધીરણવાળા ટ્રકો સીઝ કરવા ન આપી ટ્રકો બળજબરી કઢાવી લેવા ફરીયાદીને ઇજા-મહાવ્યથા કરવાના ભયમાં મુકી ફરીયાદીની ફાઈનાન્સ કંપનીના ધીરણ વાળા ટ્રકો પોતાના કબ્જામાં રાખી ફરીયાદીની પેઢી સાથે કુલ રૂ. 3,19,82,93/- ની છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સના વિનય ઠક્કર દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે.