Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામા સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેશ જોશી વયમર્યાદાને કારણે ગત 31 માર્ચના રોજ નિવૃત થતા સીટી ઈજનેરનો હવાલો મનપાના કેટલાક કાર્યદક્ષ અધિકારીઓ પૈકી એક અને શહેરના મહત્વના પ્રોજેક્ટનો હવાલો સંભાળી નીર્વવાદ છબી ધરાવતા પ્રોજેક્ટ એન્ડ પ્લાનીગ શાખાના ભાવેશ જાનીને સીટી ઈજનેરનો વધારાનો હવાલો કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા સોંપવામાં આવ્યો છે.
મહાનગરપાલિકામાં વહીવટી સરળતા ખાતર ભાવેશ જાનીને તેમની મૂળ કામગીરી સાથે સિવિલ શાખા, સ્લમ શાખા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનીગ શાખા, ટીપી ડીપી અને ટીપીઓ શાખા હવેથી ભાવેશ જાની હસ્તક રહેશે તેવું ઓર્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મનપાના ટેકનીકલ યુનિયનના ઉપપ્રમુખ B.E.સિવિલ ભાવેશ જાની જામનગર મનપામાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવે છે.અને શહેરના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના તળાવની પાળ બ્યુટીફીકેશન, દિગ્જામ ઓવરબ્રીજ, અંધાશ્રમ ઓવરબ્રીજ, લાખોટા મ્યુઝીયમ, અને હાલ ચાલી રહેલ ભુજીયા કોઠા અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજનું કામ પણ તેમની દેખરેખ હેઠળ જ ચાલી રહ્યું છે. ત્યારે તેમની કાર્યક્ષમતા જોતા કમિશનરે ઇન્ચાર્જ સીટી ઈજનેરનો હવાલો ભાવેશ જાનીને સોંપ્યો છે.