Mysamachar.in-જામનગર
હાલાર સહિત સમગ્ર રાજ્યમા હોસ્પીટલો કારખાના ક્લાસીસ ગોડાઉન વાડા વગેરેમા વારંવાર આગના બનાવ બનતા ચિંતાજનક સ્થિતિ સર્જાય છે અને જ્યા આગના બનાવ બને છે ત્યા અમુક સ્થળોએ તો ફાયર સેફટી નથી હોતી ક્યાક ફાયર એન.ઓ.સી. નથી હોતા તેમજ શહેરી વિસ્તારોમા આવા બનાવો વધુ બને છે જેથી જાનમાલની નુકસાની થાય છે જોકે રાજ્ય સરકાર આગામી 26 જાન્યુઆરીથી નવો ફાયર એક્ટ અમલમા મુકનાર છે પરંતુ તે પહેલા પણ સરકાર કક્ષાએથી ગંભીરતા લેવાઇ હોય તાજેતરમા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે કોર્પોરેશનોના કમિશનરો સાથે ફાયર સેફટી અંગેની વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
જે બાદ જામનગર કમિશનર સતિષ પટેલ આ બાબતે કડક મોડમા આવ્યા છે અને આવશ્યક એકમોને ફાયર સેફટી ફરજીયાત વાસાવવા આદેશ આપ્યા છે દરમ્યાન જામનગરમા ફાયર સેફટી મામલે હવે ક્યાય ઢીલાશ કે કચાશ લાગે તો કડક પગલા તોળાઇ રહ્યાના સંકેતો મળે છે, હોસ્પિટલ, નર્સિંગહોમ, હોટલો, ટયુશન કલાસીસ, સ્કુલો, કોલેજો, કારખાનાઓ, મોલ, શોપીંગ સેન્ટર સહિતની બિલ્ડીંગોમાં ફાયર એનઓસી તુરત મેળવી લેવા શહેર વિકાસ સચિવએ સંચાલકોને સુચના આપી જ છે જયારે ફાયર એનઓસી નહી મેળવનાર સામે જેલ સજા સુધીની કાર્યવાહી કરવા કમિશનરને આદેશ જારી કરાયા છે.
શહેરી વિકાસ સચિવ મુકેશ પુરી દ્વારા વિડીયો કોન્ફરન્સ કોર્પોરેશનોના કમિશનરો સાથે યોજાઇ હતી. તેઓ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી હોસ્પિટલો, હોટલો, ટયુશન કલાસીસો સહિતના બિલ્ડીંગોમાં ફાયર એનઓસી મેળવી લેવા માલિકોને સુચના અપાઇ છે. તેઓ મહાનગરપાલિકાના કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સમાં કેટલા બિલ્ડીંગમાં એનઓસી ફાયરની મેળવેલ છે. તે અંગેની વિગતો પણ પ્રાપ્ત કરી હતી. ફાયર સેફટીના કાયદા પ્રમાણે ફાયર એનઓસી વગરના બિલ્ડીંગો, હોસ્પિટલોના માલિકો જો ઝડપભેર 15 દિવસમાં ફાયર એનઓસી નહી મેળવે તો કડક કાર્યવાહીઓ કરવા કમિશનરોને સુચના અપાઇ હતી.
કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં આવેલ હોસ્પિટલો, કોર્મશીયલ બિલ્ડીંગો, શાળાઓ, ટયુશન કલાસીસો વિગેરેમાં જયાં પણ ફાયર સેફટીના એનઓસી લીધેલ નથી. તેવા બિલ્ડીંગોના માલિકો દ્વારા તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવા અપીલ કરાઇ છે. સરકારના નિયમ મુજબ એનઓસી નહી મેળવનારા હોસ્પિટલો કે બિલ્ડીંગના માલિકો સામે ગુજરાત સરકારના ફાયર એકટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે આમ કમિશનર હવે કડક મોડ મા આવતા જામનગરમા આગામી દિવસોમાં કાંતો ફાયર સેફટી મોટાભાગે થઇ શકશે કાંતો મોટાભાગે પગલા લેવાશે તેવા સંકેત મળે છે.